ગીર સોમનાથ જીલ્લાના તાલાલા પોલીસ વિસ્તારમાથી શોધી કાઢી મા-દીકરીનુ તેના પરિવાર સાથે મીલન કરાવ્યું
પોરબંદર
અધિક પોલીસ મહાનિદેશક સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરની કચેરીના મીસીંગસેલના હુકમ અન્વયે જુનાગઢ રેન્જના પોલીસ મહાનીરીક્ષક નિલેશ જાંજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ ગુમ થનાર બાળકો/મહીલાઓને શોધી કાઢવા સુચના કરેલ હોય, જે અનુસંધાને પોરબંદર જિલ્લામા ગુમ થયેલ બાળકો/મહીલાઓને શોધી કાઢવા માટે સખ્ત સુચના કરી તા.૧૮/૧૨/૨૦૨૪ થી તા.૩૧/૧૨/૨૦૨૪ દીન-૧૪ની સ્પેશ્યલ ડ્રાઇવ (ઝુંબેશ) આયોજન કરેલ હોય, જે અનુસંધાને માધવપુર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર આર.જી.ચુડાસમાના માર્ગદશર્ન હેઠળ માધવપુર પોલીસ સ્ટાફના માણસોએ ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી માધવપુરથી ગુમ થનાર (૧) મેનાબેન મનસુખભાઇ બચુભાઇ કાથડ ઉ.વ.૨૪ તથા (૨) રીયાબેન મનસુખભાઇ બચુભાઇ કાથડ ઉ.વ.૩ (રહે. માધવપુર વણકર વાસ તા.જિ.પોરબંદર)ને ગીર સોમનાથ જીલ્લાના તાલાલા પોલીસ વિસ્તારમાથી શોધી કાઢી મા-દીકરીનુ તેના પરિવાર સાથે મીલન કરાવવાની કામગીરી કરી “પોલીસ પ્રજાનો મિત્ર છે” તે સુત્રને સાર્થક કરેલ છે, તેમ પોલીસે જણાવ્યું છે.
