
જામ ખંભાળિયા, તા. ૨૬-૦૩-૨૦૨૫
ખંભાળિયા તાલુકાના ચોખંડા ગામની રહીશ ઋષીકા સોમાતભાઈ ગોજીયાએ એચ.એસ.સી. સુધીનો અભ્યાસ રાજકોટ ખાતે પૂર્ણ કરી, તાજેતરમાં જામનગરની ગુલાબકુંવરબા આયુર્વેદીક યુનિવર્સિટીમાંથી 14 માં ક્રમ સાથે ડોક્ટર (બી.એચ.એમ.એસ.) ની ડીગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે સમસ્ત આહીર સમાજ તેમજ નાના એવા ચોખંડા ગામનું ગૌરવ વધાર્યું છે.
પોતાની આ સફળતાનો સંપૂર્ણ શ્રેય પોતાના શિક્ષક પિતા સોમાતભાઈ અને માતા પાબીબેનને આપતી ઋસીકાની આગળની ઉજ્જવળ કારકિર્દી માટે ચોખંડા ગામના ગ્રામજનોએ તેને શુભેચ્છાઓ પાઠવી છે.
________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)