Friday June 20, 2025

દરિયામાંથી બીનવારસુ લાશ મળી આવી હતી: રાહુલ શાહ હત્યા કેસમાં રાજુ ઓડેદરાને જામીન અપાવતા એડવોકેટ ભરત લાખાણી

પોરબંદરમાં ખુનકેસના આરોપીને જામીન આપતી ડીસ્ટ્રીકટ કોર્ટ

એડવોકેટ ભરત લાખાણી

જીતેન્દ્ર પાલા, પોરબંદર

પોરબંદરમાં ૨૦૨૨ માં દરીયામાંથી એક બીનવા૨સ લાશ મળેલી હોય અને ત્યા૨બાદ પોલીસ તપાસમાં તે લાશ રાહુલ શાહની હોવાની જાહેર થયેલુ હતું. અને બીનવારસી લાશ હોવાના કા૨ણે તેને જામનગ૨ની સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલી હતી. ત્યારબાદ અંદાજે ૧૩ દિવસ પછી ગુજરનાર ના ભાઈ હેમત શાહ દ્રારા અલગ અલગ ૬ આરોપીઓના નામ લખાવી તેના ભાઈનું ખુન કરેલ હોવા સંબંધે હાર્બન મરીન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ લખાવેલી હતી. અને તેના આધારે પોલીસ દ્રારા કુલ-૭ વ્યકિતઓની ધ૨પકડ ક૨ી જેલ હવાલે કરેલા હતાં. અને પોલીસ ફરીયાદમાં મુખ્ય આરોપી તરીકે રાજુ કારા ઓડેદરાનું નામ દર્શાવેલુ હતું. અને આરોપી જેલમાં હોવાના કા૨ણે ચાર્જશીટ થયા બાદ કેસ ચાલવા ઉપર આવી જતા અને ફરીયાદીએ કરેલી ફરીયાદ મુજબ આ બનાવની વાત તેઓને હાર્દિક ભરત બોખીરીયા એ કરેલી હોય અને તેઓની કોર્ટ સમક્ષની જુબાનીમાં આરોપી ના એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા જે. જે. હાથલીયા દ્વારા કરેલી ઉલટ તપાસમાં તેઓ બનાવ સંબંધે કાંઈ જાણતા ન હોવાનું બનાવની વાત ફ૨ીયાદીને કે, પોલીસને ક૨ેલ ન હોવાનું અને પોતે રીક્ષા ચલાવતા હોય તેથી પોલીસે તેની સહીઓ કરાવી લીધેલ હોવાનું સ્પષ્ટ જણાવેલુ હતું. અને ત્યા૨બાદ ફરીયાદીની પણ ઉલટ તપાસ થઈ જતા તેઓ બનાવ વિશે વ્યકિતગત કાંઈ જાણતા ન હોવાનું અને તેના ભાઈના મૃત્યુ પછીના ૧૩ દિવસમાં તેને કોઈ માહીતી મળેલ ન હોવાનું અને બનાવની વાત પોલીસે કરેલ હોવાનું જણાવતા અને તે રીતે મુખ્ય સાહેદોની જુબાની થઈ જતા અને બાકીના આરોપીના જામીન પણ મળી ગયેલા હોય અને માત્ર ૨ાજુ કારા ઓડેદ૨ા એક માત્ર જેલમાં હોય અને તેથી તેઓએ તેમના એડવોકેટ ભ૨તભાઈ લાખાણી તથા જે. જે. હાથલીયા મારફતે પો૨બંદ૨ ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરતા અને તે અનુસંધાને વિગતવાર દલીલ કરી મુખ્ય આરોપીની જુબાની થઈ ગયેલ હોવાનું આરોપી બે વર્ષથી જેલમાં હોવાનું અને પ્રિપનીસમેન્ટ થતી હોવાની અને તે સંબંધે હાઈકોર્ટ તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓ ૨જુ ક૨તા નામદાર એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ શ્રી શર્મા સાહેબ દ્વા૨ા રેકર્ડ ઉ૫૨ના પુરાવા તથા એડવોકેટની દલીલ ઘ્યાને રાખી આ૨ોપીને શરતોને આધીન જામીન ઉપર છોડવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપી વતી પો૨બંદ૨ના જાણીતા એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી, જે. જે. હાથલીયા તથા નવધણ જાડેજા રોકાયેલા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top