
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૩-૨૦૨૫
દ્વારકાના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ દ્વારા ઝારખંડના ગ્રામીણ આદિવાસી વિસ્તારમાં ગહન સમજ આપી વનવાસી સમુદાયના 68 પરિવારના 200 જેટલા લોકોને પુનઃ મૂળ સનાતન ધર્મમાં પરત લાવવામાં સફળતા મેળવી હતી.
દ્વારકાના શારદાપીઠાધીશ્વર સદાનંદજી મહારાજના સાનિધ્યમાં ઝારખંડના આદિવાસી વિસ્તાર પશ્ચિમ સિંહભૂમના પરાખંડ ગોઈલકેરાના પરાલીપોસ ગામે આયોજિત 56 મી નિઃશુલ્ક ચિકિત્સા શિબિરમાં સ્વધર્માનયન અભિયાન અંતર્ગત આદિવાસી જનજાતિ સમુદાયના 68 પરિવારના 200 લોકોએ સ્વધર્મમાં વાપસી કરી હતી. આ આદિવાસી લોકોએ અમૂક સંજોગોમાં ભૂલથી ભટકી જઈ ધર્માંતરણના કુચક્રમાં ફસાઈ સનાતન ધર્મનો ત્યાગ કરી દીધો હતો. તે લોકોએ ગઈકાલે પુનઃ શંકરાચાર્ય મહારાજના હાથે ગંગાજલ પાન કરી શ્રીરામ નામનું વાંચન કરી પુનઃ સનાતનધર્મમાં વાપસી કરી હતી.
આ પ્રસંગે શંકરાચાર્ય મહારાજે સનાતન ધર્મનું મહત્ત્વ સમજાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકા શારદામઠના શંકરાચાર્ય મહારાજ છેલ્લા ઘણા વર્ષથી ધર્માંતરણ કરેલા પૂર્વ સનાતનધર્મીઓને પુનઃ મૂળ ધર્મમા લાવવાનું ભગીરથ કાર્ય ચલાવી રહ્યા છે. જેમાં તેમને અપાર સફળતા મળી છે.




(ફોટો:- કુંજન રાડિયા)