Friday June 20, 2025

ધનુર્માસ ઉત્સવની ઉજવણી દ્વારકામાં ઠાકોરજીને કુંડલા ભોગ મનોરથ યોજાયો

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૧-૨૦૨૫

 દ્વારકાધીશ જગતમંદિરમાં હાલમાં ચાલતા ધનુર્માસની તૃતીય તિથિની ઊજવણી ચાલી રહી હોય, તે દરમ્યાન આજરોજ સવારે ઠાકોરજીના શૃંગાર દર્શન સમયે શ્રીજીને ઠંડીથી બચવા વિશેષ શૃંગાર વાઘા સાથે ઠાકોરજીના એક ભાવિક ભકત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી - શ્રીજીને કુંડલા ભોગ મનોરથ યોજવામાં આવ્યો હતો. શ્રીજીના આ દિવ્ય દર્શનનો બહોળી સંખ્યામાં ભાવિકોએ પ્રત્યક્ષ રીતે તેમજ ઓનલાઈનના વિવિધ માધ્યમથી પણ લાખો કૃષ્ણ ભકતોએ આ દિવ્ય દર્શનને નિહાળ્યા હતા.
  • ધનુર્માસની કાતીલ ઠંડીમાં દ્વારકાધીશ સમીપ અંગીઠી – હાલમાં ચાલતી શીત ઋતુમાં આજરોજ દ્વારકાધીશ જગતમંદિરમાં ધનુર્માસ ઉત્સવ ઊજવાઈ રહયો હોય વહેલી સવારે 5:30 વાગ્યે મંગલા આરતી સાથે દર્શન ખૂલ્યા હતા. કાતીલ ઠંડીમાં ઠાકોરજીના ચરણો સમીપ ઠંડીથી બચવા અંગીઠી મૂકવામાં આવી હતી અને ઉષ્ણતા આપવાનો ભાવ વ્યકત કરવામાં આવ્યો હતો. આટલી ઠંડી છતાં મંગલા આરતીથી જ જગતમંદિરમાં ભાવિકોની વ્યાપક ભીડ જોવા મળી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top