
જેના પાયામાં સત્ય હોય તેવા વિશ્વ મંદિરનું નિર્માણ થવું જોઈએ : મોરારિબાપુ
હરેશ જોષી, નડિયાદ
પહેલી ફેબ્રુઆરીના રોજ પૂજ્ય મોરારીબાપુ ના મુખે કુલ કથક્રમની 951મી રામકથાનો શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે પ્રારંભ થયો છે.ત્યારે એમણે ઉપરના શબ્દો ઉચ્ચાર્યા હતા. એમણે કહ્યું હતું કે જેના પાયામાં સત્ય હોય, વચ્ચે પ્રેમ હોય અને જેનું શિખર કરુણાથી મઢેલું હોય એવા એક વિશ્વ મંદિરની આજે આપણને સૌને જરૂરિયાત છે. આવો એવા એક મંદિરનું આપણે નિર્માણ કરીએ.

ઉલ્લેખનીય છે કે સંતરામ મંદિર નડિયાદ ખાતે પૂજ્ય બાપુ દ્વારા આ છઠ્ઠી રામકથા યોજાઈ રહી છે. એમણે અનેક જાણીતા સંતો મહંતો ગાદીપતિઓ ની વિશેષ ઉપસ્થિતિમાં માનસ યોગીરાજ વિષય હેઠળ રામકથાનો પ્રારંભ કરાવ્યો છે.
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ધારાસભ્ય પંકજ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.
