Friday June 20, 2025

[[ નુસરત-નિઝામ નેટવર્ક]] જામનગરની નુસરત સૈયદનો ગાંજો પોરબંદરમાં નિઝામ પાસેથી ઝડપાયો

રૂ 19 હજારના મુદ્દામાલ સાથે નિઝામ બુખારીની ધરપકડ નુસરતને ઝડપી લેવા પોલીસના ચક્રો ગતિમાન

ભારતના યુવાધનને વ્યસનના રવાડે ચડાવીને બરબાદ કરવાના કાવતરાના મૂળ સુધી પહોંચવા મથામણ કરી રહેલી પોરબંદર પોલીસ

ગુજરાતના વિવિધ ભાગોમાંથી ઢગલા મોઢે પોરબંદરમાં ઠલવાય છે ગાંજો: ક્યારેક પકડાય છે અને ક્યારેક પોલીસને મળે છે ઠેંગો

પોરબંદર
દેશના યુવાધનને વ્યસનના રવાડે ચડાવીને બરબાદ કરીને દેશના વિકાસને અટકાવવાનું એક દેશ વ્યાપી કાવતરું દેશ વિરોધી તત્વો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે અને સુરક્ષા એજન્સીઓ તેની સઘન તપાસમાં છે ત્યારે જામનગરની નુસરત સૈયદ નામની એક મહિલા પાસેથી મેળવેલો ગાંજાનો જથ્થો પોરબંદરના નિઝામ બુખારી નામના એક શખ્સ પાસેથી ઝડપાઈ ગયો છે. પોલીસે 1 કિલો 17 ગ્રામ ગાંજો અને એક મોબાઇલ ફોન સહિત રૂ 19,000 ની કિંમતના મુદ્દામાલ સાથે નિઝામ ની ધરપકડ કરી છે. જામનગરની નુસરતને પકડી લેવા માટે ચક્રો ગતિમાન થયા છે. પોલીસ આ પ્રકરણમાં ઊંડી ઉતરી રહી છે અને સમગ્ર તપાસ સાંગોપાંગ પાર ઉતરે તો નિઝામનું નેટવર્ક અને ઈસરતનો કારોબાર ખુલ્લો પડવાથી એક મોટું ગુજરાત વ્યાપી ગાંજા નેટવર્ક બહાર આવે તેવી સંભાવના છે.

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આ મામલે સરકાર તરફે પોરબંદર એસઓજી પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.પી.ચુડાસમાજીએ (૧) નિઝામ ઉર્ફે એજાજ મુનાફ બુખારી ઉ.વ.૨૨ ધંધો છુટક મજુરી, રહે. બી.એસ.યુ.પી. આવાસ યોજના બ્લોક નં. ૨૩ ચોથા માળે કવાટર્સ નં. ૪૩ પોરબંદર (ધરપકડ: તા.૨/૧/૨૦૨૫, કલાક ૧૯/૧૫) તથા (૨) નુસરતબેન વા/ઓફ જાવીદ સીદીક સૈયદ રહે, જામનગર, અરબના જમાતખાના પાસે) સામે એફઆઇઆર કરી છે. એફઆઇઆર અનુસાર પકડાયેલ આરોપી નીઝામે જામનગરની નુસરત પાસેથી ગેરકાયદે અને વગર પાસ પરમીટે માદક પદાર્થ લીલાશ પડતા ભુખરા જેવા રંગનો પાંદડા, ડાળખા, બીજ યુકત વનસ્પતી જન્ય પદાર્થ (ગાંજો) વજન ૧ કીલો ૧૭ ગ્રામ કી.રૂ.૧૦,૧૭૦/- મેળવી મોબાઈલ ફોન નંગ-૧ કી.રૂ.૮૦૦૦/- તથા વજન કાટો કી.રૂ.૫૦૦/- સાથે કુલ કી.રૂ. ૧૮,૬૭૦/- નો મુદામાલ રાખી એકબીજાને મદદગારી રેઈડ દરમ્યાન આરોપી નિઝામ મળી આવતા પકડાઈ ગયો હતો. તા.૨/૧/૨૦૨૫, કલાક ૧૯/૧૫ વાગ્યે બી.એસ.યુ.પી. આવાસ યોજના, બ્લોક નં.૨૩, ચોથા માળે કવાટર્સ નં.૪૩ પોરબંદર ખાતે બનેલી આ ઘટના અંગે ઉદ્યોગનગર પોલીસમાં એન.ડી.પી.એસ. એકટ ૧૯૮૫ ની કલમ- ૮- (સી), ૨૦(બી)(૨- બી), ૨૯ મુજબ ગુનો દાખલ થતાં પીએસઆઇ એસ આર જાડેજાએ તપાસ હાથ ધરી છે. પોરબંદર એસ.પી ભગીરથસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ નુસરતનું ગુજરાત વ્યાપી ગાંજા નેટવર્ક ભેદવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પોલીસના અમુક માણસો દ્વારા વચ્ચે વચ્ચે ક્યાંક ને ક્યાંક સેટિંગ ન થઈ જાય તો જ આ નેટવર્ક ભેદી શકાય તેમ છે તેમ પણ માનવામાં આવી રહ્યું છે. પોરબંદરમાં ગુજરાતના અનેક ભાગોમાંથી ઢગલા મોઢે ગાંજો ઠલવાઈ રહ્યો છે તેમાંથી ક્યારેક પકડાય છે અને મોટેભાગે નથી પકડાતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top