Friday June 20, 2025

પાલિતાણામાં મિલકતના ડખામાં ભાઈએ જ કરી ભાઈની હત્યા: આરોપી જયેન્દ્રસિંહની ધરપકડ

પંદરેક દિવસ પૂર્વે ભાઈ સાથે મિલકતના ભાગ પડ્યા હતા: પાલીતાણા પી.આઈ બીએમ કરમટાની ટીમે આરોપીની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ કરી

ભાવનગર
પાલિતાણાના સર્વોદય સોસાયટીના નાંકે રહેતા ભગીરથસિંહ ગોહિલ નામના ૩૦ વર્ષીય યુવકનો મૃતદેહ હોવાનુ બહાર આવ્યુ હતું પરંતુ યુવકની હત્યા કે આત્મહત્યા તે મામલે ચર્ચાનો વિષય બન્યો હતો. આખરે પાલીતાણા પોલીસે આજે તપાસ દરમિયાન આરોપી તરીકે મરનારના સગાભાઈ જયેન્દ્રસિંહ ગોહિલ ની ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ હાથ ધરી છે.

દરમિયાન યુવકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડાયેલ જેનો રિપોર્ટ આવ્યા બાદ હત્યા કઈ રીતે થઈ છે તે બાબત ઉપર વધુ પ્રકાશ પડી શકશે પરંતુ હાલ તો પોલીસે મરનારના ભાઈ જયેન્દ્રસિંહ ગોહિલને ઝડપી લીધો છે અને તેની પૂછપરછ હાથ ધરી છે હાલ પી.આઈ.બી.એમ કરમટાની ટીમ તપાસ ચલાવી રહી છે

પાલિતાણાના સર્વોદય સોસાયટીના નાંકે રહેતા યુવકનો મૃતદેહ હોવાની જાણ પોલીસને થઈ હતી, જેના પગલે પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, જેમા ભગીરથસિંહ નામના યુવકનો મૃતદેહ હોવાનુ ખુલ્યુ હતું. વધુ તપાસમાં છેલ્લા ઘણા સમયથી ભગીરથસિંહ ગોહિલ પોતાના ઘરે એકલા રહેતા હતા.જાણવા મળ્યા મુજબ હજુ ૧૫ દિવસ પૂર્વે જે બન્ને ભાઈ વચ્ચે મિલકતની વહેંચણી થઈ હતી. દરમિયાનમાં મંગળવારે મૃતદેહ મળતા શંકાકુશંકા સેવાઈ રહી છે, અને યુવકે આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ છે તે ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે મૃતદેહને ભાવનગર હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ માટે મોકલી દઈને પાલિતાણા ટાઉન પોલીસ તેમજ એલસીબી, એસઓજી, ડોગ સ્કવોર્ડ, એફએસએલ સહિતની ટીમોએ વધુ તપાસ હાથ ધરી હતી.

મિલકતના મતભેદમાં ભાઈની હત્યા કરનાર ભાઈની ધરપકડ

પાલીતાણામાં સર્વોદય સોસાયટી ખાતે ભાઈઓ ભાઈઓ વચ્ચે મિલકતના મતભેદમાં ભાઈની જ હત્યા કરનાર આરોપી જયેન્દ્રસિંહ ગોહિલની પોલીસે આજે ધરપકડ કરી લીધી છે અને તેની આખરી પૂછપરછ ચાલુ છે.

  • પીઆઈ બી. એમ. કરમટા, પાલીતાણા ટાઉન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top