Saturday June 21, 2025

પોરબંદરના કેદારેશ્વર મંદિર પાસે યુવાન મહિલાનો આપઘાત

માધવ પાર્ક માં રહેતી 35 વર્ષની પરણીતાએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લીધી

પોરબંદર
પોરબંદરની એક 35 વર્ષીય પરિણીત મહિલાએ કોઈ અકળ કારણોસર કેદારેશ્વર મંદિર પાસે ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે બનાવના કારણ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
હીનાબેન કૈલાસભાઇ મેપાભાઇ સોનેરી (ઉ.વ. ૩૫ રહે. માધવપાર્ક રોકડીયા હનુમાન પાછળ પોરબંદર)એ તા.૨૪/ ૧૨/૨૦૨૪ના ૧૦/૦૦ વાગ્યાના અરસામાં કેદારેશ્વર મંદિર પાસે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મરણ ગયા છે. આ અંગે મરનારના પતિ કૈલાસભાઇ મેપાભાઇ સોનેરી (ઉવ.૩૮ ધંધો.માછીમારી)એ પોલીસને જાણ કરતા કીર્તિમંદિર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એન ગોરસીયાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top