માધવ પાર્ક માં રહેતી 35 વર્ષની પરણીતાએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા પી લીધી
પોરબંદર
પોરબંદરની એક 35 વર્ષીય પરિણીત મહિલાએ કોઈ અકળ કારણોસર કેદારેશ્વર મંદિર પાસે ઝેરી દવા પી લેતા તેમનું સારવાર દરમિયાન મોત થયું છે બનાવના કારણ અંગે પોલીસ તપાસ કરી રહી છે.
હીનાબેન કૈલાસભાઇ મેપાભાઇ સોનેરી (ઉ.વ. ૩૫ રહે. માધવપાર્ક રોકડીયા હનુમાન પાછળ પોરબંદર)એ તા.૨૪/ ૧૨/૨૦૨૪ના ૧૦/૦૦ વાગ્યાના અરસામાં કેદારેશ્વર મંદિર પાસે કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મરણ ગયા છે. આ અંગે મરનારના પતિ કૈલાસભાઇ મેપાભાઇ સોનેરી (ઉવ.૩૮ ધંધો.માછીમારી)એ પોલીસને જાણ કરતા કીર્તિમંદિર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એન ગોરસીયાએ તપાસ હાથ ધરી છે.