Saturday June 21, 2025

પોરબંદરની સંજીવની લેબોરેટરી વાળા જીગ્નેશ ઘેટીયા સોનાની બિસ્કીટની માયાજાળમાં ફસાયા: રુ. 3.50 લાખની ઠગાઈ

ટોળકીના પ્રિન્સ નામના ટેકનિકલ ડોન અને કાનજી ઉર્ફે આરીફ નામના ભુજ શહેરના એક ગઠિયા સહિતની ટોળકી સામે ગુનો દાખલ

પોરબંદર
લોકોને કોઈ અજબ ગજબ ના ફાયદા વાળી સ્કીમ બતાવવામાં આવે તો તે અજાણી વ્યક્તિ ઉપર પણ વિશ્વાસ કરીને પૈસા આપી દેતા હોય છે. પોરબંદરના સંજીવની લેબોરેટરી વાળા જીગ્નેશ ઘેટિયાને સોનાનું બિસ્કીટ આપવાની આકર્ષક માયાજાળમાં ફસાવીને બિસ્કીટના 50% રૂપિયા એડવાન્સમાં મેળવીને એક ઠગ ટોળકીના પ્રિન્સ નામના ટેકનિકલ ડોન અને કાનજી ઉર્ફે આરીફ નામના ભુજ શહેરના એક ગઠિયાએ તેમજ તેમની ટોળકીના કેટલાક લોકોએ રૂ 3.50 લાખની ઠગાઈ કરી છે. ફરિયાદ નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે જીગ્નેશ પ્રવિણચંદ્ર ઘેટીયા (ઉ.વ.૪૩ ધંધો.લેબોરેટરી રહે. સંજીવની લેબોરેટરી પાંજરાપોળ સામે પોરબંદર)એ
(૧)પ્રિન્સ નામનો વ્યકિત સાચા નામની ખબર નથી (૨) કાનજી ઉર્ફે આરીફ (રહે. ભુજ ત્રીમંદીર પાછળની સોસાયટી) તથા બાકીના તપાસમાં ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર આરોપીઓએ ફરીયાદીને વિશ્વાસમા લઇ સોનાના બિસ્કીટના ૫૦% રકમ આંગડીયા મારફતે મેળવી સોનાનુ બિસ્કીટ નહીં આપી ફરીયાદી સાથે રૂપિયા ૩,૫૦,૦૦૦/- ની છેતરપીંડી વિશ્વાસઘાત કરી એકબીજાની મદદગારી કરી હતી.
તા.૨૮/૧૧/૨૦૨૪ ૨૩/૦૦ થી તા.૧૨/૧૨/૨૦૨૪ કલાક ૧૧/૦૦ દરમ્યાન પોરબંદર સંજીવની લેબોરેટરી પાંજરાપોળ સામે ફરીયાદીના મકાને બનેલી આ ઘટના અંગે તા.૫/૧/૨૫ ના રોજ કમલાબાગ પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬(૨),૩૧૮(૪),૫ ૪ મુજબ ગુનો દાખલ થતાં પીએસઆઇ એબી દેસાઈએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top