Saturday June 21, 2025

પોરબંદરમાં ખોટા ડોકયુમેન્ટ ઉભા કરી સરકારી જમીન પચાવી પાડવાની ફરીયાદમાં આરોપીને નિદોર્ષ છોડતી કોર્ટ

ગુજસીકોટના ગુન્હામાં જેલમાં રહેલા રમેશ છેલાણાના મોટાભાઈ બધુભાઈ છેલાણા સામે ૨૦૧૦ની સાલમાં તે વખતના નાયબ મામલતદાર આંબલીયાએ ફરિયાદ કરી હતી

પોરબંદર
પોરબંદર તાલુકાના ઓડદર ગામના રહેવાસી અને પોરબંદર પંથકમાં ખૂબ મોટુ નામ ધરાવતા અને હાલ ગુજસીકોટના ગુન્હામાં જેલમાં રહેલા રમેશ છેલાણાના મોટાભાઈ બધુભાઈ ભીખાભાઈ છેલાણા સામે ૨૦૧૦ ની સાલમાં જે તે વખતના નાયબ મામલતદાર આંબલીયા દ્વારા એવા મતલબની ફરીયાદ કરેલી હતી. કે, આરોપી બધુ ભીખાભાઈ છેલાણા તથા તલાટી મંત્રી ઠાકરશીભાઈ વિરમભાઈ દ્રારા ઓડદર ગામની સરકારી જમીન ના ખોટા ડોકયુમેન્ટો ઉભા કરી અને જમીન આરોપી બધુ ભીખા દ્રારા પોતાના નામે ટ્રાન્સફ૨ ક૨વા માટે સ૨કા૨ી કચે૨ીમાં દસ્તાવેજી આધારો રજુ કરી અને આવા ડોકયુમેન્ટો ખોટા ઉભા કરેલ હોવાનુ જણાવી ફોજદારી ફરીયાદ દાખલ કરેલી હતી. અને તે સંબંધેનો કેસ પો૨બંદ૨ના એડીશ્નલ ચીફ જયુડી. મેજી. શ્રી પંડયા સાહેબની કોર્ટમાં ચાલી જતા અને જેમાં ફ૨ીયાદીની જુબાની થતા અને તેની ઉલટ તપાસમાં બધુ ભીખા છેલાણા ના એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્રારા પુછેલા પ્રશ્નો ના જવાબમાં ફરીયાદી પોતે કોઈ ડોકયુમેન્ટ કબુલ કરેલ ન હોવાનું, કોઈ ડોકયુમેન્ટ જોયેલ ન હોવાનું અને તેઓને માત્ર ફ૨ીયાદ ક૨વાની સુચના આપતા ફરીયાદ કરેલ હોવાનું સ્વિકારેલુ હોય પરંતુ કહેવાતા કોઈ ખોટા દસ્તાવેજો તેની સમક્ષ ૨જુ થયેલ ન હોવાનું અને આવા ખોટા દસ્તાવેજો સાચા છે કે ખોટા છે તે સંબંધે પણ તેઓ કાંઈ જાણતા ન હોવાનું તેની ઉલટ તપાસમાં ખુલતા અને તે રીતે ફરીયાદ પક્ષ દ્રારા ખોટા ડોકયુમેન્ટો ઉભા કરીને જમીન પચાવી પાડવા સંબંધે કરેલી ફરીયાદ સંબંધે પોતાનો કેસ પુ૨વા૨ ન કરી શકતા અને આ કેસમાં પાછળ થી પોલીસ દ્રારા અન્ય તલાટી મંત્રીઓને પણ આરોપી બનાવેલા હોય પરંતુ કોઈપણ આરોપીઓ સામે ફરીયાદ પક્ષ પોતાનો કેસ પુરવાર ન કરી શકતા નામદા૨ કોર્ટ દ્વા૨ા તમામ આરોપીઓને છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કામમાં મુખ્ય આરોપી બધુ ભીખા છેલાણા વતી પો૨બંદ૨ના જાણીતા એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, ૨મેશ ગોઢાણીયા રોકાયેલા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top