Saturday June 21, 2025

પોરબંદરમાં પ્રેમિકાના પતિ અને ભાઈ સહિત ચાર શખ્સોનો યુવક પર હુમલો

A Violent Love Story

[[ જિંદગી ઈમ્તિહાન લેતી હૈ…]]

પોરબંદરમાં પ્રેમિકાના પતિ અને ભાઈ સહિત ચાર શખ્સોનો યુવક પર હુમલો

યુવતી પરણેલી હોવા છતાં કરણે તેની સાથે સંબંધ રાખ્યો તેનો યુવતીના ભાઈ અને પતિને વાંધો હતો

એક અજાણ્યા શખ્સ સહિત ચારેય જણ કરણ ઉપર બોખીરા પાણીના ટાંકા પાસે તૂટી પડ્યા

પોરબંદર
પોરબંદર બોખીરાના કરણ કારાવદરા નામના એક 24 વર્ષના યુવકને એક પરણેલી યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાને કારણે આ યુવકને તે યુવતીના ભાઈ તથા પતિ અને અન્ય બે વ્યક્તિ મળી કુલ ચાર વ્યક્તિઓએ લોખંડના પાઇપ અને ધોકાઓ વડે હુમલો કરી અતિગંભીર ઇજાઓ કરી હતી. કારણે પોતાની પ્રેમિકાના પતિ અને ભાઈ સહિત ચાર્ય સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે કરણ ભનાભાઈ કારાવદરા (ઉ.વ.૨૪ ધંધો.નોકરી રહે. જ્યુબેલી, કસ્તુરબા સ્કુલની બાજુમાં, બોખીરા, પોરબંદર)એ (૧) સંજય મોઢવાડીયા (૨) રમેશ કેશવાલા (૩) રાહુલ ઉર્ફે લીખો (૪) અજાણ્યો વ્યક્તિ (નામ નમુદ નથી) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર ફરિયાદીના મોટાભાઈ હિતેશ ઉર્ફે હિરેન ભનાભાઈ કારાવદરા ને આરોપી સંજય ની બહેન તથા આરોપી રમેશ ની પત્ની હેતલ મોઢવાડીયા સાથે અગાઉ પ્રેમ સબંધ હોય, જે વાતનું મનદુઃખ રાખી અને આરોપી સંજય તથા રમેશ અને એક અજાણી વ્યક્તિએ લોખંડના ધારદાર પાઈપો વડે અને રાહુલે લાકડાના ધોકા વડે ફરિયાદીના ભાઈને મારી નાખવાના ઈરાદે શરીરે તથા માથાના ભાગે આડેધડ લોખંડના પાઈપો તથા ધોકાના ઘા મારી, ફરિયાદીના ભાઈને જીવલેણ ઈજાઓ પંહોચાડી આરોપીઓએ ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી, જીલ્લા મેજીસ્ટ્રેટ પોરબંદરના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કર્યો હતો. તા.૨૯/૧૨/૨૦૨૪ના ૧૬/૦૦ વાગ્યાના અરસામાં જ્યુબેલી, બોખીરા, પાણીના ટાંકા પાસે, પોરબંદર ખાતે બનેલી આ ઘટના અંગે ઉદ્યોગ નગર પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯(૧), ૫૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ થતાં પોરબંદર નાયબ પોલીસ અધિક્ષક ઋતુ અમરસિંહ રાબાએ તપાસ હાથ ધરી છે.

Box
પોલીસે આગોતરા એક્શન લેવાની જરૂર
આ ઘટનામાં હજી પણ બીજું આગળ ઉપર શું શું થઈ શકે તેનું અનુમાન લગાવીને પોલીસે આગોતરા સાવધાની ના પગલાં લેવાની પૂરતી જરૂર હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે અધૂરી રહી ગયેલી કોઈ બાબતને પૂર્ણ કરવા માટે કોઈ વ્યક્તિ કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ખાસ કરીને એવી બાબતોમાં કે જ્યાં મામલાનું અનુસંધાન ઈજ્જત સાથે જોડાયેલું હોય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top