ભોગ બનનારે જ ફરીયાદના ૧ મહીના પહેલા કિર્તીમંદિ૨ પોલીસ સ્ટેશનમાં પોતે ૨ાજી-ખુશીથી આરોપી સાથે ૨હેતા હોવાની કબુલાત આપી હોવાની હકીકતને અદાલતે મહત્વની ગણી
પોરબંદર
હાલ ભગાડી જવાની તથા બળાત્કારની ફરીયાદો સમાજમાં વધતી જતી હોય અને પ્રેમ સંબંધ થઈ જતા ધર છોડીને ભાગી ગયા બાદ બે-ચાર મહીના સાથે રહી અને પછી અન્ય કોઈ કારણોસર ઝગડો થાય ત્યારે બળાત્કાર તથા અન્ય બાબતો ની ફરીયાદો થતી હોય છે તે જ રીતે પોરબંદર ના વિજય ૨વજી તથા તેની માતા મંજુબેન ૨વજી સામે પોરબંદરના કીર્તીમંદિ૨ પોલીસ સ્ટેશનમાં ૨૦૨૧ માં મારામારી તથા ધમકી તથા બળાત્કારની ફરીયાદ દાખલ થયેલી હોય અને તે અન્વયે પોરબંદરની એડીશ્નલ ડીસ્ટ્રીકટ કોર્ટમાં કેસ ચાલી જતા અને તે કેસમાં આરોપીઓ વતી પો૨બંદ૨ના જાણીતા એડવોકેટ ભ૨ત લાખાણી રોકાયેલા હોય અને તેઓએ ભોગ બનનારની કરેલ ઉલટ તપાસમાં સ્પષ્ટ રીતે ભોગ બનનારે કબુલ કરેલુ હોય કે, તેઓ આરોપી સાથે બે—અઢી મહીના સાથે રોકાયેલા હતાં. અને પ્રેમ સંબંધ થઈ ગયેલ હોવાના કારણે પોતે ધર છોડીને આરોપી સાથે રહેવા આવેલા હતાં. અને તેની સગાઈની વાતચીત ચાલતી હોય અને ત્યાં સગાઈ ક૨વી ન હોય તેથી ધ૨ છોડેલુ હોવાની હકિકત જણાવતા અને એડવોકેટ પાસે ફરીયાદ લખાવેલી હોવાની હકિકત જણાવતા અને ભોગ બનનારે જ ફરીયાદ કરતા અગાઉ ૧ મહીના પહેલા કિર્તીમંદિ૨ પોલીસ સ્ટેશનમાં પોતે ૨ાજી-ખુશીથી આરોપી સાથે ૨હેતા હોવાની કબુલત આપેલી હોય અને આરોપી ત૨ફે તે જવાબની ખ૨ીનકલ પણ ૨જુ ક૨તા અને તે રીતે ભોગ બનનારે કોઈપણ કા૨ણોસ૨ ખોટી રીતે ફ૨ીયાદ કરેલ હોવાનું નામદા૨ કોર્ટમાં પુ૨વા૨ થઈ જતા અને ફરીયાદી પોતાની માતા તથા દાદા સાથે પણ રહેતા ન હોય અને હાલ સ્વતંત્ર રીતે રહેતા હોવાનું ફલીત થતા અને આ તમામ બાબતો ઘ્યાને રાખી પોરબંદર ના એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ પઠાણ દ્રારા ભોગ બનનારની જુબાની તથા ઉલટ તપાસ તથા અન્ય સાહેદો પંચોની જુબાનીઓ તથા રેકર્ડ ઉપરના પુરાવાઓ ઘ્યાને લઈ બંને આરોપીઓને શંકાનો લાભ આપી નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપીઓ વતી પો૨બંદ૨ના જાણીતા એડવોકેટ ભરત લાખાણી તથા નવધણ જાડેજા રોકાયેલા હતાં.