પોરબંદર
હાલના સમયમાં ભાતભાતના છેતરપીડી અને વિ શ્વાસધાતના કિસ્સાઓ બનવાનો સીલસીલો ચાલુ છે ત્યારે વધુ આવો જ એક કિસ્સો પોરબંદર ખાતે બનતા, લોકો બહારની કંપનિઓની ફેન્ચાઇઝી કે ડીસ્ટ્રીબ્યુશનશીપ લેતા હવે સાવધાન બનબની જરૂરીયાત છે. અને નાના મોટા વેપારી જગતમાં પણ ચોંકાવનારો આ કિસ્સો સૌ કોઇનુ ધ્યાન દોરી જાય તેવો છે. જેની વધુ વિગતો મુજબ પોરબંદર ખાતે રહેતા અને રીક્ષા ચાલકો વ્યવસાય કરતા જયેશકુમાર હાજાભાઇ ઓડેદરાએ છેલ્લા થોડાક સમયથી પોરબંદર ખાતે ઉભો થયેલો મંદીના માહોલના કારણે પોતાનુ તથા પોતાના પરિવારની આજીવીકા પુરતુ પણ મહેનતાણુ ન કમાઇ શકતા હોવાને કારણે નવો ધંધો રોજગાર શરૂ કરવાના આશયથી ઉપલેટા ખાતેની વૃન્દા એન્ટરપ્રાઇઝ નામની કંપનની “નેચર–ડે” નામના કોલ્ડીન્કસની બ્રાન્ડની પોરબંદર ખાતેની ડીસ્ટ્રીબ્યુશનશીપ લેવાનુ નકકી કરેલ. અને આ બાબતે વૃન્દા એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર ફૂલાણબાઈ જમનભાઈ ગજેરા સાથેના આ કરેલા મૌખિક વેવાર મુજબ ઉપલેટાથી માળી ખીદી કરી. પોરબંદરમાં તથા આસપાસના વિસ્તાર માં આ પ્રોડકટની અલગ અલગ ફ્લેવર ડ્રીન્કસ પહોંચાડવાનુ શરૂ કરેલ હતુ. જે વેવાર મુજબ કંપનિએ થોડા સમય પહેલા રૂા. ૫૦,૦૦૦/- એડવાન્સ લઇ લીધા બાદ કોઈપણ માલ આપેલ નહી કે રકમ પણ પરત ન કરતા જયેશભાઇએ પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે પોતાના એડવોકેટ વિજયકુમાર પંડયા દ્વારા ઉપલેટની કંપત્તિ તેમજ મહારાષ્ટ્રની ટીમ ૨૪ ફુડસ એન્ડ બેવરેજીસ પ્રા. લી. અર્સ એગ્રો પ્રા. ત. કેમનિ સામે રીયાદ દાખલ કરેલ છે. જેથી વેપારી જગતમાં તેમજ નાના ધંધાર્થીઓમાં કે જે ધંધો રોજગાર વિકસાવવા માટે બ્રાન્ડેડ કંપનિઓની ફ્રેન્ચાઇઝી લેતા હોય છે તેઓને માટે સબક સમાન આ કેન્ડી બનેલ હોવાનું વકિલ વિજયકુમાર પંડયાએ જણાવેલ છે.