પોલા વાલાએ કોઈ બીજું જ બહાનું કાઢીને મનુ રામાને માર માર્યો હોવાની એફઆઈઆર કીર્તિમંદિર પોલીસમાં થઈ
પોરબંદર
પોરબંદરમાં એક યુવક એક મહિલાને આપેલા રૂપિયા કટકે કટકે પાછા લેવાના હોવાથી તેનો રૂપિયા 5,00નો હપ્તો લેવા માટે મહિલાના ઘરે જતા આ મહિલાના પતિએ કોઈ બીજું જ બહાનું કાઢી આ યુવકને માર માર્યો હોવાની ફરિયાદ યુવકે કીર્તિ મંદિર પોલીસમાં નોંધાવી છે.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે મનુ રામા શીંગરખીયા (ઉ.વ.૫૦ રહે. વિરડીપ્લોટ હિરબાપની સમાધી પાસે પોરબંદર)એ પોલા વાલા વાઘ (રહે. વિરડીપ્લોટ પોરબંદર) સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર ફરીયાદી વિરડીપ્લોટ વણકરવાસમાં રહેતા આરોપીના પત્ની વનીતાબેન પાસેથી ઉછીના રૂા.૨૦૦૦/- એક વર્ષ પહેલા લીધેલ હતા જેનો હપ્તો રૂા.૫૦૦/- આપવા માટે ગયેલ ત્યારે વનીતાબેનના ઘરવાળા (આરોપી) ત્યાં આવી ગયેલ અને ફરીયાદીને ભુંડી ગાળો બોલવા લાગેલ અને કહેલ કે, મારી દીરકીને તારો ભાણેજ ભગાડીને લગ્ન કરેલ છે. તેમાં તારો હાથ છે તેમ કહી તેના ઘરમાં પડેલ ખાંડણીના દસ્તાનો એક ઘા કરીને માથાના ભાગે મારેલ અને લોહી કાઢી ઈજા કરેલ તથા ડાબા હાથમાં સાણચીનો એક ઘા મારતા સામાન્ય ઈજા કરી હતી.
તા.૧૪/૧૨/૨૦૨૪ કલાક ૧૫/૩૦ વાગ્યાના અરશામાં વીરડીપ્લોટ પોરબંદર ખાતે બનેલી આ ઘટના અંગે કીર્તિ મંદિર પોલીસમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨),૩૫૨ તથા જી.પી.એકટ કલમ- ૧૩૫ મુજબ ગુનો દાખલ થતાં હેડ કોન્સ્ટેબલ આરએ સીંગરખીયાએ તપાસ હાથ ધરી છે.