Saturday June 21, 2025

પોરબંદર પોલીસે ઇન્ફોર્મેટીવ હનીટ્રેપમાં ન ફસાવા માછીમારોને સૂચના આપી

[[ભાઇ, એલર્ટ…]]

હાર્બર મરીન પોલીસ દ્વારા ફીશરમેન વોચગૃપના સભ્યો તથા સ્થાનીક ફીશરમેનો સાથે મીટીંગ થઈ

ગુજરાત મત્સ્યઉધોગ અધીનીયમ-૨૦૦૩ ના કાયદામાં હાલમા ૨૦૨૪માં થયેલ સુધારા મુજબ લાઇન/લાઇટ ફીશીંગ ન કરવા

પોરબંદર
હાર્બર મરીન પોલીસ દ્વારા ફીશરમેન વોચગૃપના સભ્યો તથા સ્થાનીક ફીશરમેનો સાથે મીટીંગ કરી એવરનેશ કાર્યક્રમ કરેલ છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચનાથી તેમજ પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ હાલે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત મત્સ્યઉધોગ અધીનીયમ-૨૦૦૩ તેમજ હાલમા ૨૦૨૪માં આ કાયદામા થયેલા સુધારા બાબતે પોરબંદર જીલ્લાના દરીયાકાંઠા વિસ્તારના ફીશરમેનોને એવરનેશ કરવા સારૂ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના સુભાષનગર ખાતે સેમીનાર યોજવામા આવેલ જેમાં સ્થાનીક આગેવાનો તથા ફીશરમેન વોચગૃપના સભ્યો તથા સ્થાનીક ફીશરમેનો આશરે 300 થી ૩૫૦ જેટલા તેમજ એસ.આર.ડીના સભ્યો હાજર રહેલ જેમા ફીશીંગ કરતી વખતે ધ્યાનમા રાખવાની બાબતો જેમ કે, (૧).અઢાર વર્ષથી નાની વયના બાળકોને ફીશીંગમા લઇ ન જવા (૨) દરીયામા માશીમારી કરતી વખતે ફીશરીઝ વિભાગ દ્વારા આપવામા આવતા ટોકન લેતી વખતે ટોકનમા માછીમારો તથા ટંડેલની માહીતી સાચી અને પુરેપુરી આપવા તેમજ ટોકનની વીગતે મુજબના જ નામ વાળા માછીમારો એ જ માછીમારી કરવા જે તે બોટ પીલાણામા જવા તેમજ ટોકન તથા આધાર કાર્ડ માછીમારી દરમ્યાન સાથે રાખવા સમજ કરેલ છે. (૩) ગુજરાત મત્સ્યઉધોગ અધીનીયમ-૨૦૦૩ ના કાયદામાં હાલમા ૨૦૨૪માં થયેલ સુધારા મુજબ લાઇન/લાઇટ ફીશીંગ ન કરવા સમજ કરેલ છે.અને જો કોઇ લાઇન તથા લાઇટ ફીશીંગ કરતા જણાઇ આવશે તો કાયદેશર કાર્યવાહી કરવામા આવશે. (૪) IMBL ન ઓળંગવા અને IMBL નજીક હોય ત્યારે ગૃપમાં રહી માછીમારી કરવા સમજ કરેલ છે. (૫) કોઇ પણ શોસીયલ મીડીયા મારફતે કોઇ મહીલા કે કોઇ અજાણી વ્યકતીની રીક્વેસ્ટ આવે તો અને તે મહીલા દ્વારા કોઇ પણ પ્રકારની લોભ લાલચ આપી દેશની સુરક્ષાને લગતી કોઇ પણ પ્રકારની માહીતી કે ફોટો-વીડીયો માંગે તો તેવી માહિતી નહી આપવા અને આવા પ્રકારની હની ટ્રેપમા નહી ફસાવવા સમજ કરેલ છે. તેમજ દરીયાકાંઠા વીસ્તારમા કે દરીયાની અંદર કોઇ શંકાસ્પદ બોટ કે વ્યક્તી જોવામા આવે તો તરતજ નજીકના પોલીસ સ્ટેશન ખાતે તથા ઇમરજન્સી નંબર ૧૦૯૩ તથા ૧૦૦ નંબર પર જાણ કરવા સમજ કરી અવેરનેશ કાર્યક્રમ કરવામા આવેલ છે. કામગીરીમાં પીઆઇ એસ.ડી .સાળુંકે, તથા તુષાર જે.કોટીયા મદદનીશ મત્સ્ય ઉધોગ નીયામક અધીકારી પોરબંદર તથા પીએસઆઇ એન.કે.વાઘેલા, એ.એસ.આઇ. રાકેશ ચૌધરી તથા એ.એસ.આઇ. ભરત વાઘેલા, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજ સીસોદીયા તથા કોન્સ્ટેબલ નીલેષ ખેર વગેરે હાજર રહેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top