Friday June 20, 2025

પો૨બંદ૨ની શ્રીનાથજીની હવેલીમાં ફુલફાગ – હોળી રસીયાનું અનેરૂ આયોજન

ભરત લાખાણી, પોરબંદર

પો૨બંદ૨માં વૈષ્ણવોનું આસ્થાનું પ્રતિક એટલે શ્રીનાથજી ની હવેલી છે. અને વર્ષો અગાઉ ફુલફાગ હોળી ૨સીયા માત્ર હવેલીમાં જ ઠાકોરજીની સનમુખ ક૨વામાં આવતા હતાં. પરંતુ હવે ધીરે ધીરે વૈષ્ણવો અલગ અલગ જગ્યાએ હોળી રસીયાનો મનોરથ કરતા હોય છે. પરંતુ પોરબંદરની શ્રીનાથજી ની હવેલીના મુખ્યા પ્રકાશભાઈ ઠાકોર દ્વા૨ા હજુ પણ વૈષ્ણવોની પ્રણાલી અને રીવાજ મુજબ દર વર્ષે શ્રીનાથજીની હવેલીમાં જ ફુલફાગ મનોરથ – હોળી ૨સીયા નું આયોજન ક૨વામાં આવતુ હોય છે. અને તેમાં પણ તા.૬/૩|૨૦૨૫ ને ગુરૂવારે શ્રીનાથજી હવેલી નાથદ્રારા ના મુખ્ય ગાદી પતિ ૧૦૮ શ્રી રાકેશ બાવાશ્રીનો જન્મ દિવસ હોય અને તેની ઉજવણી ના ભાગરૂપે જ શ્રીનાથજી ની હવેલીમાં સાંજે ૫–૦૦ થી ૮–૦૦ ઠાકોરજીના સાંનિધ્યમાં ફુલફાગ મનોરથ – મોળી ૨સીયાનું આયોજન કરેલુ હોય સૌ વૈષ્ણવો ને આ મનો૨થમાં પધારવા માટે શ્રીનાથજી હવેલીના મુખ્યાજી પ્રકાશભાઈ ઠાકર તથા દેવલ ઠાકર તથા પાર્થ ઠાકર તથા અધિકા૨ીશ્રી જીવનભાઈ રાઠોડ દ્રારા ભાવપુર્વક વિનંતી કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top