
પોરબંદર
પોરબંદર જિલ્લાના માધવપુર પંથકના વિવિધ ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપી ભરત ઉર્ફે હાજાભાઇ હરદાસભાઇ પરમાર, (ઉં.વ.૩૮, રહે.પરમાર ફળીયું, બળેજ ગામ, તા.જી.પોરબંદર) વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ માધવપુર પ્રો. પીએસઆઇ એ.એ.ડોડીયાએ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ શખ્સને પાસા હેઠળ અમદાવાદ જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતાં એલસીબી પીઆઇ આર.કે.કાંબરીયાએ પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ જેલ ખાતે મોકલી આપેલ છે. આ કામગીરીમાં એએસઆઇ રણજીત દયાતર તથા જમાદાર રૂપલબેન લખધીર તથા હેડ કોન્સ્ટેબલ વિપુલ ઝાલા, કુલદિપ જાડેજા, લખમણ ઓડેદરા, કોન્સ્ટેબલ જીતુ દાસા, વિરેન્દ્ર પરમાર તથા માધવપુર પોલીસના હેડ કોન્સ્ટેબલ અશોક ચુડાસમા, કોન્સ્ટેબલ કરણ સુત્રેજા તથા હેડ ક્વાર્ટર હેડ કોન્સ્ટેબલ સુરેશ કનારા, કોન્સ્ટેબલ જયેન્દ્ર ચાવડા વગેરે પણ રોકાયેલ હતા.