
હરેશ જોષી, ભદ્રાવળ
ભદ્રાવળ ખાતે સુશીલાબા જલધારાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ શાળામાં સરસ મજાનું પાણીની પરબ બંધાવી માતુશ્રી સુશીલાબાના આત્માને તર્પણ કરવામાં આવ્યું. છેલ્લા 17 વર્ષથી માદરે વતન ને જતન કરી રહેલા આ સુશીલાબા પરિવાર થકી ખૂબ જ સારું પરબ બંધાવ્યું . શાળાના આચાર્યશ્રી અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં માનનિય પ્રમાનંદદાદાના પુત્ર અમિતભાઈ શાહ અને એમની પુત્રવધૂ ડૉ. મોનાબેન શાહ જે રોટરી ક્લબ ઓફ જુહુ બીચ મુંબઈના પ્રોજેક્ટ કોર્ડીનેટર છે તેઓએ હાજરી આપી હતી. સાથે એચ.વી.એસ ફાઉન્ડેશનના માનનિય શ્રીમતી મનીષાબેન શાહ અને વિજયભાઈ જૈન પણ હાજર રહ્યા હતા. અને આ ફાઉન્ડેશન દ્વારા આ શાળાને બે સ્માર્ટ ટીવી પણ આપ્યા. આ સાથે આ જ પરિવાર દ્વારા હડમતીયા પ્રાથમિક શાળામાં બટુકદાદા જલધારા બંધાવી આપેલ. એમના કાકાશ્રી ના આત્માને શાંતિ માટે આ પરબનું નિર્માણ કરવામાં આવેલ. એ સાથે માંડવડા ૨ શાળામાં સુશીલાબા રંગમંચ નું પણ નિર્માણ કરવામાં આવ્યું. અને ભામાશા એવા શ્પરમાનંદદાદાના જન્મ સ્થળ લાપાળિયા ગામમાં આવેલી હાઈસ્કૂલને સરસ મજાનો પ્રવેશદ્વાર પણ બંધાવી આપવામાં આવેલ. સાથે ખોડીયારનગર ના તમામ બાળકોને જરૂરી સ્ટેશનરી પૂરી પાડવામાં આવી. અને સાથે વાલર શાળા ને કબાટ અને જામવાળી શાળાને સાઉન્ડ સિસ્ટમ અર્પણ કરવામાં આવી. અને સાથે શૈક્ષણિક કીટ આજુબાજુની શાળામાં 500 બાળકોને વહેંચવામાં આવી અને લામધાર તથા વિઠ્ઠલવાડી અને લાપાળીયા શાળામાં તમામ બાળકોને બટુકભોજન કરવામાં આવેલ. દાતાઓ પ્રત્યે ખૂબ ખૂબ આભાર ની લાગણી સૌ શાળા પરિવારજનો અને ગ્રામજનો વ્યક્ત કરે છે.