
કુંજન રાડિયા, ભાણવડ, તા. ૧૦-૦૨-૨૦૨૫
ભાણવડના વિજયપુર ગામની એક વાડીમાં રાત્રિના સમયે એક નર શિયાળ લથડતી હાલતમાં તકલીફમાં હોય અને ચાલી શકવા પણ સક્ષમ ના હોય તેવી હાલત જણાતા સ્થાનિક રહીશ દ્વારા ભાણવડના એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો.
આથી અશોકભાઈ ટીમના સભ્યો સાથે તુરંત આ સ્થળે દોડી જઈને આ શિયાળનું રેસ્ક્યુ કરીને ભાણવડ સ્થિત શિવ બળદ આશ્રમ ખાતે લઇ જવામાં આવ્યું હતું. અહીં ડોકટરની મદદથી જુદા-જુદા ચેક અપ કરીને તેની સારવાર કરાઈ હતી. ત્યાર બાદ હાલ વધુ સારવાર અર્થે તેને બળદ આશ્રમ ખાતે રખાયું છે. પ્રાકૃતિક આવાસમાં મુક્ત થઈ શકે તેવી સ્થિતિ થતાં આ શિયાળને બરડાના પ્રાકૃતિક ખોળે રિલીઝ કરાશે.
આ અબોલ જીવની સેવા પ્રવૃત્તિમાં શિવ બળદ આશ્રમના મેરામણભાઈ ભરવાડ, વિશાલ ભરવાડ, વિજય જોડ અને માડમ ટ્રસ્ટના વેટરનરી ડો. શિવમ વિસાવાડિયા તેમજ ડૉ. દત્ત દેસાઈ જોડાયા હતા.




(ફોટો:- કુંજન રાડિયા)