Saturday June 21, 2025

ભાણવડમાં શિવ બળદ આશ્રમની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫

          ભાણવડ ખાતે છેલ્લા આશરે દોઢ દાયકાથી અબોલ જીવોની સેવા માટે કાર્યરત એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિ ખૂબ પ્રશંસનીય બની રહી છે. ત્યારે આ સંસ્થા દ્વારા છેલ્લા બે વર્ષથી લાખાણી પરિવારના સહયોગથી સેવા અર્થે ઉપયોગ માટે પ્રાપ્ત થયેલી જગ્યા પર શિવ બળદ આશ્રમ શરૂ કરવામાં આવ્યો છે. અહીં હાલ વૃદ્ધ, નિરાધાર અને અશક્ત એવા 89 જેટલા બળદ આશરો લઈ રહ્યા છે. જેની ખૂબ સારી સરભરા કરવામાં આવી રહી છે.

        ત્યારે અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ મુળુભાઇ બેરા કે જેઓ માનવતાવાદી અને જીવદયા પ્રેમી મંત્રી તરીકે ઓળખાય છે, તેઓએ આ બળદ આશ્રમની ખાસ મુલાકાત લીધી હતી. અહીં આ સંસ્થાના સંચાલક અશોકભાઈ ભટ્ટ સાથે બળદ આશ્રમ અને જીવદયા પ્રવૃત્તિ અંગે ચર્ચાઓ કરી હતી. ભવિષ્યમાં પણ આ પ્રવૃત્તિ અવિરત રહે અને વ્યક્તિગત તેમજ તંત્ર કક્ષાએથી જરૂરિયાત મુજબ સહયોગ અપાવવાની ખાતરી પણ તેમણે આપી હતી.

         આ વચ્ચે ઉલ્લેખનીય છે કે, એનિમલ લવર્સ ગ્રુપની સેવા પ્રવૃત્તિમાં મંત્રીના પુત્ર હર્ષદભાઈ બેરા પણ આર્થિક મદદ કરી અને સેવાના સાક્ષી બને છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top