Friday June 20, 2025

રાણાવાવના એકટ્રોસીટીના કેસમાં આરોપીના આગોતરા જામીન આપતી પોરબંદર કોર્ટ

જ્ઞાતિ પ્રત્યે વાંધો હોય તો તો આરોપી જે તે જ્ઞાતિને પોતાનું ખેતર ભાગિયું આપે જ નહીં એવી એડવોકેટ ભરત લાખાણીની દલીલ માન્ય રહી

પોરબંદર
પોરબંદર જીલ્લાના રાણાવાવ પોલીસ સ્ટેશનમાં મંજુબેન દિનેશભાઈ દ્રારા એવા મતલબની ફરીયાદ લખાવેલી હતી. કે, તેના પતિ દિનેશભાઈ દ્રારા લીલુબેન સામતભાઈ કેશવાલા નું ખેતર ભાગમાં ખેડવા માટે રાખેલુ હતું. અને મોસમ તૈયા૨ થઈ જતા દિનેશભાઈ દ્રારા પોતાના ભાગની મૌલાત વેચવા માટે વેપા૨ીને બોલાવતા પરંતુ ખેતર માલીક લીલુબેન કેશવાલા દ્રારા વેપા૨ીને માલ જોખવા દિધેલ નહીં. અને તે બાબતે લીલુબેન તથા તેના બંને સંતાનો દ્રારા માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરેલ હોવાનું જણાવી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલી હતી. તે અનુસંધાને લીલુબેન કેશવાલાના એડવોકેટ ભ૨ત લાખાણી દ્વા૨ા પોરબંદરની એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલી હતી. અને તેની દલીલમાં જણાવેલુ હતું. કે, આરોપી વિધવા બાઈ માણસ છે. અને તેના પતિ સામતભાઈ કેશવાલાનું અવસાન થઈ ગયેલુ હોય તથા તેના બંને સંતાનો હાલ અભ્યાસ ક૨ી ૨હેલ છે. અને જો જ્ઞાતિ પ્રત્યે કોઈ તકલીફ હોય તો ભાગમાં ખેતર વાવવા જ ન આપે. અને તે રીતે જ્ઞાતિ પ્રત્યે અપમાન કરવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. એટલુ જ નહીં હિસાબ કિતાબ અન્વયે માત્ર બોલાચાલી થયેલી હોય તે સિવાય કોઈ બનાવ બનેલ ન હોય અને આખી ખોટી ફરીયાદ ઉભી કરેલ હોવાનું જણાવી આગોતરા જામીન આપવાના પુરતા અને વ્યાજબી કા૨ણો હોવા સંબંધે વિગતવા૨ દલીલ કરી અને તે સંબંધેની નામદાર હાઈકોર્ટની ઓથોરીટી ૨જુ રાખેલી હોય અને તે અનુસંધાને ફરીયાદી દ્રારા પણ નામદાર કોર્ટમાં વાંધાઓ આપેલા હોય તેમજ પોલીસ દ્રારા પણ આગોતરા જામીન ન આપવા સંબંધે સોગંદનામું કરેલુ હોય પરંતુ નામદાર કોર્ટ દ્રારા પોલીસ પેપર્સ તથા અ૨જદા૨ એડવોકેટની દલીલો ઘ્યાને લઈ આરોપીઓને શરતોને આધીન આગોતરા જામીન ઉ૫૨ છોડવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપી વતી પો૨બંદ૨ના જાણીતા એડવોકેટ ભરત લાખાણી, નવધણ જાડેજા રોકાયેલા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top