કોઈ અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ થતાં રાણાવાવ પીઆઇ એન. એન. તળાવિયાના તપાસ ચક્રો ગતિમાન
પોરબંદર
પોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકના મોકર ગામના નવાપરા વિસ્તારમાંથી કોઈ અજાણ્યા શખ્સે એક 14 વર્ષની બાળાનું ખરાબ કૃત્ય કરવાના ઇરાદે અપહરણ કર્યું હોવાની ફરિયાદ બાલિકાની માતાએ રાણાવાવ પોલીસમાં નોંધાવતા પોલીસે તપાસચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે એક મહિલા (અબોટી બ્રાહ્મણ ઉ.વ.૩૫ ધંધો-ઘરકામ રહે.મોકર ગામ નવાપરા ખોડીયાર માતાજીના મંદિર પાસે તા.રાણાવાવ જી.પોરબંદર)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર કોઈ અજાણ્યા શખ્સે ફરિયાદીની સગીર વયની દીકરી (ઉ.વ.-૧૪ વર્ષ ૨ મહીના ૨૩ દીવસ જન્મ તા.૩૦/૧૦/૨૦૧૦ રહે.મોકરગામ)ને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી, ભગાડી ગયો છે. તા.૨૨/૦૧/૨૦૨૫ના ૮/૩૦ વાગ્યાના અરસામાં મોકર ગામ નવાપરા ખાતે બનેલી આ ઘટના અંગે રાણાવાવ પોલીસમાં ગુનો દાખલ થતાં પીઆઈ એનએન તળાવિયાએ તપાસ હાથ ધરી છે. ગૃહ ખાતાની કૃપાથી છેલ્લા કેટલાક સમયથી ગુજરાત ભરમાં આરોપીઓના ફુલેકા અને વરઘોડાઓનો ક્રેઝ ચાલી રહ્યો છે ત્યારે આ કેસમાં આરોપી પકડાય તો પોલીસ દ્વારા વધુ એક જાહેર પંચનામુ થવાની શક્યતા નકારી શકાતી નથી.