
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫
ખંભાળિયા નજીકના કુવાડિવા ગામના પાટીયા પાસે આવેલા અને શ્રધ્ધા તથા આસ્થાના કેન્દ્ર સમાન સૂફી સંત શ્રી શંકરડાડાની પવિત્ર તથા પૌરાણિક જગ્યામાં આગામી મંગળવાર તારીખ 25 ના રોજ પૂ. શંકર ડાડાની 37 મી પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયા તાલુકાના સલાયા શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભુવા દ્વારા તારીખ સાંજે 7 વાગ્યે ચાદર ચડાવવાનું આયોજન કરાયું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી થયા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
(ફોટો:- કુંજન રાડિયા)