Friday August 08, 2025

સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની થયેલી ભવ્ય ઉજવણી

ભાવનગર
હજારો વર્ષોના સંઘર્ષ પછી ભગવાન શ્રી રામનું અયોધ્યા ખાતે ભવ્ય મંદિર નિર્માણ થયાના પ્રથમ વર્ષની તિથિ મુજબ પોષ સુદ બારસ ના દિવસે શહેરની અગ્રણી સામાજિક સંસ્થા સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ ક્રેસન્ટ ચોક ખાતે ધારાસભ્ય સેજલબેન પંડ્યા તથા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, જૈન સમાજના અગ્રણી સંજયભાઈ ઠાર, શિવ શક્તિ હોલના સમીરભાઈ શાહ, ઉદ્યોગપતિ કિશોરભાઈ દાઠાવાળા વગેરે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ, ત્યારબાદ ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી દ્વારા ભવ્ય ભજન સંધ્યા રાખવામાં આવેલ હતી અને રાત્રિના 12 કલાકે ભવ્ય આતશબાજી દ્વારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ની લોકોએ જય શ્રી રામના નારા સાથે ઉજવણી કરેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top