Headlines

ખંભાળિયાની પશુ સેવા સંસ્થા દ્વારા નીલગાયનું રેસ્ક્યુ

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫        ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ અને ફોરેસ્ટ વિભાગ દ્વારા આજરોજ કરવામાં આવેલી કાર્યવાહીમાં અત્રે જામનગર માર્ગ પર આવેલા ટોલ ગેઈટ પાસે એક નીલગાય ઇજાગ્રસ્ત હોવાથી સંસ્થાના કાર્યકર દેસુરભાઈ ધમા, હિરેન ગોસ્વામી, ફોરેસ્ટ વિભાગના ગિરીશ ડામોર અને ડો. રાજકુમાર જાદવ તથા પિંડારિયા દ્વારા નીલ ગાયને…

Read More

ખંભાળિયાનો શખ્સ જામગરી બંદુક સાથે ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫         ખંભાળિયા વિસ્તારમાં ડીવાયએસપી કચેરીના સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં શક્તિરાજસિંહ જાડેજા તથા સુખદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે જંગલ વિસ્તારમાં શિકાર અર્થે થઈ રહેલા દેવા ભીખુભાઈ વાઘેલા (રહે. એસ.ટી. બસ સ્ટેન્ડ પાછળ, શાંતિ નિકેતન વાસ) ને પોલીસે પાસ પરવાના વગરની જામગરી બંદૂક સાથે ઝડપી લઇ, તેની…

Read More

પ્રવેશ પ્રક્રિયા પુનઃ શરૂ કરવાની માંગ સાથે ખંભાળિયામાં એબીવીપીનું આંદોલન

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫        ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતી વિધાર્થીઓ માટે મેનેજમેન્ટ ક્વોટામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ વર્ષ 2024-25 વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગને લઇને ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો દ્વારા અહીંના નગર ગેઈટ વિસ્તારમાં…

Read More

શુભ વિવાહ ::: ચિ. રિધ્ધી * કિશન :: ખંભાળિયાના ઘાવડા પરિવારના દ્વારે લગ્નોત્સવ

જામ ખંભાળિયા       જામ ખંભાળિયા નિવાસી અ.સૌ. હંસાબેન તથા શ્રી વનરાજભાઈ માનસંગભાઈ ઘાવડાની સુપુત્રી તેમજ અગ્રણી ઉપેન્દ્રભાઈ માનસંગભાઈ ઘાવડાની ભત્રીજી ચિ. રિધ્ધીના શુભ લગ્ન કંચનપુર નિવાસી અ.સૌ. હંસાબેન તથા શ્રી જેમલભાઈ મેરૂભાઈ ઢાંઢના સુપુત્ર ચિ. કિશન સાથે ગુરુવાર તારીખ 20-02-2025 ના શુભ દિને યોજાયા છે.  ____________________________________________________________________________ (કુંજન રાડિયા)

Read More

ખંભાળિયામાં સગીરા પર દુષ્કર્મ પ્રકરણના આરોપીને વીસ વર્ષની સખત કેદ

જામ ખંભાળિયા, તા. ૧૪-૦૨-૨૦૨૫            ખંભાળિયામાં રહેતા રાજુભાઈ ઉર્ફે રાજેશભાઈ હરિભાઈ કોટક નામના યુવાને થોડા સમય પૂર્વે માનસિક રીતે સ્વસ્થ એવી એક સગીરા પર અવારનવાર શરીર સંબંધ બાંધી અને દુષ્કર્મ ગુજારવા સંદર્ભેની ફરિયાદ જામનગરના ચિલ્ડ્રન હોમ ફોર ધ ગર્લ્સ વિભાગના અધિક્ષક દ્વારા નોંધાવવામાં આવી હતી.           આ…

Read More

હરદ્વાર ગોસ્વામીના કાવ્યસંગ્રહનો વિમોચન સમારોહ યોજાયો

હરેશ જોષી, અમદાવાદ વેલેન્ટાઇન ડે નિમિત્તે જાણીતા કવિ હરદ્વાર ગોસ્વામીના પ્રેમકાવ્યોનું પુસ્તક ‘અઢી ફૂટનું આકાશ’નો વિમોચન સમારોહ અમદાવાદના કૉલેબ ખાતે યોજાયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને સુખ્યાત સર્જક ભાગ્યેશ જહાએ વિમોચન કરતા જણાવ્યું કે ‘સાંપ્રત કવિતાનો નોખો-અનોખો અવાજ એટલે હરદ્વાર ગોસ્વામી. સંચાલક તરીકે એ ખ્યાત છે અને કવિ તરીકે સુખ્યાત છે, એણે સાહિત્યના વિધવિધ…

Read More

ભદ્રાવળમાં સુશીલાબા જલધારા અને બટુકદાદા જલધારાનું લોકાર્પણ

હરેશ જોષી, ભદ્રાવળ ભદ્રાવળ ખાતે સુશીલાબા જલધારાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ શાળામાં સરસ મજાનું પાણીની પરબ બંધાવી માતુશ્રી સુશીલાબાના આત્માને તર્પણ કરવામાં આવ્યું. છેલ્લા 17 વર્ષથી માદરે વતન ને જતન કરી રહેલા આ સુશીલાબા પરિવાર થકી ખૂબ જ સારું પરબ બંધાવ્યું . શાળાના આચાર્યશ્રી અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. આ…

Read More

દ્વારકા જિલ્લામાં યોજાનારી ત્રણ નગરપાલિકાની ચૂંટણી માટે કતલની રાત: રાજકીય પક્ષોમાં દોડધામ: દ્વારકા, ભાણવડ ભાજપ કબજે કરશે: સલાયામાં ખેંચતાણ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ તથા દ્વારકા નગરપાલિકાની આવતીકાલે રવિવારે યોજાયેલી ચૂંટણી માટેના મતદાન સંદર્ભે આજે શનિવારે કતલની રાતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ તમામ વિસ્તારમાં રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા રાત્રી જાગરણ કરીને પણ મતદારોને મનાવવા તથા આકર્ષવા માટેના પ્રયત્નો શરૂ થઈ ગયા છે.  …

Read More

શેર બજારમાં રોકાણ કરવાનું કહી, ગોરાણાના વેપારી સાથે રૂપિયા સોળ લાખની છેતરપિંડી

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫       કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે રહેતા કારૂભાઈ કેશુભાઈ ગોરાણીયા નામના 43 વર્ષના વેપારી યુવાન સાથે પોરબંદર તાલુકાના સીમર ગામે રહેતા રાજશી હાદાભાઈ ઓડેદરા નામના શખ્સએ સંપર્ક કેળવી, અને તેમને શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો કરાવી આપવાની લાલચ આપી હતી.         આરોપી દ્વારા ફરિયાદ કાળુભાઈ…

Read More