Headlines

શિવરાજપુર બિચ પર વાહનોની અવર-જવર તથા કચરો ફેંકવા પર પ્રતિબંધ

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા અને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા શિવરાજપુર બિચની નિયમાનુસાર જાળવણીના હેતુથી દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ કેટલાક પ્રતિબંધો લગાવ્યાં છે. જેમાં શિવરાજપુર બિચ પર પાંચ કિલોમીટરની ત્રિજયામાં નિર્ધારિત વિસ્તાર પર પ્લાસ્ટીકના ઉપયોગ કે વપરાશ, વાહનોની અવર-જવર, કચરો ફેંકવા, કેમ્પેઇન કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે….

Read More

ફિલ્મ અભિનેત્રી રવિના ટંડને દ્વારકાધીશ મંદિરે શીશ ઝુકાવ્યું

– નાગેશ્વર જયોતિર્લિંગના પણ દર્શન કર્યા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫        દેશની એક વખતની સૌથી સફળ ફિલ્મ અભિનેત્રી રવિના ટંડને તેની પુત્રી સાથે આજરોજ યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ જગતમંદિરમાં કાળિયા ઠાકોરજીના દર્શન કર્યા હતા. અહીં વારાદાર પૂજારી દ્વારા શ્રીજીની પાદુકાનું પૂજન કરાવ્યું હતું. દ્વારકામાં દર્શન વ્યવસ્થા તેમજ સફાઈ વિગેરેની તેમણે…

Read More

આખરે ખંભાળિયા નગરપાલિકાને લાગી લોટરી: જોધપુર શોપિંગ સેન્ટરની હરાજીથી રૂ. 8.89 કરોડ ઉપજ્યા

– હોંશભેર જોડાયા ખરીદારો: પ્રથમ દુકાનના રૂ. 80 લાખ આવ્યા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫          ખંભાળિયાના વેપારીઓ તેમજ શહેરીજનો અને ખાસ કરીને નગરપાલિકા તંત્ર માટે ખૂબ જ ઉત્તેજનાસભર બની રહેલી ખંભાળિયા નગરપાલિકા નિર્મિત જોધપુર ગેઈટ વિસ્તારના શોપિંગ સેન્ટરની 12 દુકાનોની હરાજી આજરોજ બપોરે એકંદરે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી….

Read More

દ્વારકામાં કેમ્પ એક્યુપ્રેશર યોજાયો: મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો

– વિવિધ હઠીલા રોગોના દર્દીઓને મળી રાહત – કુંજન રાડીયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫         દ્વારકાની જાણીતી સેવા સંસ્થા રાધે ડિફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન તથા ખંભાળિયાની સંસ્થા જલારામ અન્નપૂર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં એક્યુપ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટથી ખાસ ઉપસ્થિત રહેલા ડો. મધુબેન જોષી દ્વારા વિવિધ રોગોના દર્દીને…

Read More

ખંભાળિયાની શૈક્ષણિક સંસ્થાનું ગૌરવ: પૂર્વ વિદ્યાર્થી બન્યા મેડિકલ કોલેજના પ્રોફેસર

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫        ખંભાળિયાની દાયકાઓ જૂની અને જાણીતી શૈક્ષણિક સેવા સંસ્થા શ્રી સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ.એન.ડી.ટી. હાઈસ્કૂલના આચાર્ય બી.પી. સોનગરાના પુત્ર અને આ જ શાળાના પૂર્વ વિદ્યાર્થી એવા ડો. નિતીન સોનગરાએ તાજેતરમાં લેવામાં આવેલી જી.પી.એસ.સી.ની ક્લાસ વનની પરીક્ષા નોંધપાત્ર માર્કસ સાથે ઉતીર્ણ કરી અને સરકારી મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા : બરછા પરિવાર

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫   જામ ખંભાળિયા નિવાસી સ્વ. રણછોડદાસ પોપટલાલ બરછાના પુત્ર જગજીવન રણછોડદાસ બરછા (જગુભાઈ ઘી વાળા) (ઉ.વ. 82) તે સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. જીવણભાઈ, અમુભાઈ, સુંદરદાસભાઈ (સ્પેન વાળા) ના નાના ભાઈ તથા વિનુભાઈ (ઘી વારા)ના મોટા ભાઈ તેમજ કેતનભાઈ અને આશિતભાઈના પિતાશ્રી તથા વિધી, સોહમ, ક્રિષ્નના દાદા તેમજ મૂળજી વાલજી પંચમતિયા (સલાયાવાળા) ના…

Read More

ખંભાળિયા નગરપાલિકાના કચરાના ડમ્પ યાર્ડમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ: લાંબી જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫        ખંભાળિયા નગરપાલિકામાં દ્વારા શહેરમાંથી કચરો એકત્ર કરી અને અત્રેથી આશરે દશેક કિલોમીટર દૂર આવેલા તરઘડી દેવળીયા ગામ સ્થિત ડમ્પ યાર્ડમાં નાખવામાં આવે છે. અહીં વિપુલ પ્રમાણમાં એકત્ર થયેલા કચરાના ઢગલામાં ગઈકાલે રવિવારે સાંજે કોઈ કારણોસર એકાએક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી જવા પામી હતી અને…

Read More

દ્વારકા, ભાણવડ તાલુકામાં પાંચ સ્થળોએ જુગાર દરોડામાં 9 મહિલા સહિત 20 ઝડપાયા

        કુંજન રાડિયા, જામ ખંભાળિયા દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના મોજપ ગામે આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં રવિવારે સાંજે જાહેરમાં તીનપતી નામનો જુગાર રમી રહેલા કુંવરબાઈ લખુભા જેસાભા ભગાડ, લક્ષ્મીબેન વિરમભા કેર, પરમાબેન પોપટભાઈ માણેક, રતનબેન કરમણભા ભાયા, કમાબાઈ નથુભા હાથલ, રૂપાબાઈ શુક્લભા વાઘેલા, રાજબાઈ જેતાભા માણેક, સુમરીબેન ઝાખરાભા વાઘેલા અને હીરાબેન ભાયાભા વાઘેલાને…

Read More

ઓખામાં ખેંચ આવી જતા દરિયામાં પડી ગયેલા માછીમાર પ્રૌઢનું અપમૃત્યુ

        જામ ખંભાળિયા નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મૂળ રહીશ અને હાલ ઓખા ખાતે રહેતા જયંતીભાઈ ઠાકોરભાઈ હળપતિ નામના 57 વર્ષના માછીમાર પ્રૌઢ ગત તારીખ 22 મી જાન્યુઆરીના રોજ ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં આવેલી જેટીમાં અલ અતિક નામની બોટમાં આગળના ભાગે બેઠા હતા. ત્યારે તેમને એકાએક ખેંચ આવી જતા તેઓ બોટ પરથી દરિયાના…

Read More

જલદ એસિડ ગટગટાવી જતા દ્વારકાની મહિલાનું મૃત્યુ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા         ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને હાલ દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં આવેલા ખારા તળાવ ખાતે રહેતા નીલોફર ઉર્ફે નીલમ અબ્બાસભાઈ આમદભાઈ મોદી નામના 43 વર્ષના મહિલાએ થોડા દિવસો પૂર્વે કોઈ અકળ કારણોસર પોતાના હાથે એસિડ પી લીધું હતું. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં…

Read More