Headlines

પાંચ વર્ષમાં ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો

– રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રીનો ઉત્તર – જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૬ (કુંજન રાડિયા)        કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઈવેના વિકાસ અને જાળવણી માટે રૂ. 47,236 કરોડની ફાળવણી…

Read More

રાજકોટના નવનિયુક્ત રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે

– જગત મંદિરે શીશ ઝુકાવ્યું: બોકસાઈટ માઈનીંગ અંગે સૂચનાઓ આપી – જામ ખંભાળિયા, તા. ૧૨-૦૩-૨૦૨૬       રાજકોટ વિભાગના નવનિયુક્ત નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયએ ગત સાંજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. જિલ્લાની આ મુલાકાત દરમિયાન તેઓએ દ્વારકાના જગત મંદિરે ખાતે ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવી, આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે તેમને અહીં મંદિર…

Read More

સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 12,150 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ ક્રમે

“સોલાર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ 12,150 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ ક્રમે – નવી અને નવીનીકરણીય ઊર્જા સંદર્ભે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીને પ્રત્યુત્તર – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૩-૨૦૨૬ (કુંજન રાડિયા દ્વારા)       ભારત સરકારે 28 ફેબ્રુઆરી સુધીમાં “સોલાર પાર્ક અને અલ્ટ્રા-મેગા સોલાર પાવર પ્રોજેક્ટ્સ વિકાસ” યોજના હેઠળ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.ઈ.ડી. દ્વારા ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ

જામ ખંભાળિયા, તા. ૦૬-૦૨-૨૦૨૬       ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ માટે કાર્ય કરતી ગુજરાત સરકારની અગ્રીમ સંસ્થા ‘ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન(સી.ઈ.ડી.)’ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉદ્યોગસાહસિક બનવા ઈચ્છતા મહત્વકાંક્ષી યુવાનો-યુવતીઓ માટે 15 દિવસીય “ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ(ઈ.ડી.પી)”નું ટૂંક સમયમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ, કલ્યાણપુર, જામ ખંભાળિયા અને દ્વારકા તાલુકામાં આયોજન થનાર છે.      આ…

Read More

ખંભાળિયામાં મહિલા દિન નિમિતે યોજાયેલા વિશિષ્ટ કાર્યક્રમમાં મહિલાઓને કરાયા પુરસ્કૃત 

– જિલ્લા મહિલા મોરચા દ્વારા પ્રથમ વખત પ્રેરણારૂપ આયોજન – જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬      ખંભાળિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ રચનાબેન મોટાણી અને મહામંત્રી લીલાબેન લેહરુ તથા દિપ્તીબેન કણજારીયાના વડપણ હેઠળ જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ અહીંના જિલ્લા ભાજપ કાર્યાલય “દ્વારકેશ કમલમ” ખાતે “મહિલા સન્માન” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં…

Read More

ભાણવડ સરકારી હોસ્પિટલને મળી નવી એમ્બ્યુલન્સની ભેટ

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨-        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય સુવિધાઓનો સતત વિકાસ થઈ રહ્યો છે. ભાણવડ તાલુકા આરોગ્ય તંત્રને નવી બેઝિક લાઈફ સપોર્ટ સુવિધાયુક્ત એમ્બ્યુલન્સની ભેટ મળી છે. પાવરિકા કંપની દ્વારા સી.એસ.આર. અંતર્ગત અપાયેલી આ એમ્બ્યુલન્સને સાંસદ પુનમબેન માડમ તથા ધારાસભ્ય મુળુભાઈ બેરા દ્વારા ભાણવડ કન્યા શાળા ખાતેથી જનસેવા માટે સમર્પિત કરવામાં આવી…

Read More

દ્વારકામાં આવતીકાલે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬        દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ટૂંપણી પ્રાથમિક શાળા ખાતે મંગળવાર તા. 10 ના રોજ સવારના 9 વાગતાથી 8 ગામોના કલસ્ટરનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જેમાં ટૂંપણી, મોટા ભાવડા, નાના ભાવડા, કોરાડા, અણિયારી, ખતુંબા, મૂળવાસર અને ધ્રાસણવેલનો સમાવેશ થશે. _____________________________________________________________________________ (કુંજન રાડિયા)

Read More

સમગ્ર રાજ્ય સાથે ખંભાળિયાની નગરપાલિકામાં પણ આજથી વહીવટદાર શાસન

– વિવિધ નીતિવિષયક નિર્ણયોમાં મામલતદારનો હસ્તક્ષેપ – જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૬      રાજ્યની જુદી જુદી 71 નગરપાલિકાઓમાં કાર્યરત વર્તમાન બોડીની મુદ્દત પૂર્ણ થતા સરકાર દ્વારા આજથી રાજ્યની આ 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તથા રાવલ નગરપાલિકામાં પણ હવેથી વહીવટદારનું શાસન રહેશે.       ખંભાળિયા નગરપાલિકાની…

Read More

યાત્રાધામ દ્વારકા ભક્તિભાવથી છલકાયું : 1000થી વધુ કુમારીકાઓમાં પ્રાગટ્યું રાંદલ માતાજીનું દિવ્ય સ્વરૂપ

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬      યાત્રાધામ દ્વારકામાં કકળાશ કુંડ પાસે આવેલ શ્રી રાંદલ માતાજીના મંદિરે યોજાયેલા ભવ્ય વૈશ્વિક રાંદલ મહોત્સવમાં ભક્તિનો વિરાટ અને અદભુત નજારો જોવા મળ્યો હતો. આ અનોખા પ્રસંગે 1000થી વધુ કુમારીકાઓએ રાંદલ માતાજીનું સ્વરૂપ ધારણ કરી ભક્તોને દિવ્ય દર્શન આપ્યા હતા. આ આધ્યાત્મિક અને અલૌકિક દ્રશ્યે હજારો ભક્તોના હૃદયને ભાવવિભોર કરી…

Read More

કૂવો ગાળતા માથા પર પથ્થર પડ્યો: નાના આંબલાના યુવાનનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૬    ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા ઈરફાન ઉર્ફે યાસીન દાઉદભાઈ નામના 35 વર્ષના સંધી મુસ્લિમ યુવાન ગત તારીખ 4 માર્ચના રોજ એક વાડીએ કુવો ગાળવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર ઉપરથી તેમના માથા પર પથ્થર પડતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર…

Read More