Headlines

ખંભાળિયામાં આવતીકાલે ત્રણ કલાકનો વીજકાપ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬        ખંભાળિયાના રામનાથ સોસાયટી રોડ પર નગરપાલિકા દ્વારા નડતરરૂપ વીજલાઈન અંગેની કરવામાં આવનાર કામગીરીને અનુલક્ષીને આવતીકાલે રવિવાર તા. 1 માર્ચના રોજ રામનાથ સોસાયટી, મહાદેવ વાડો અને ઘી ડેમ વિસ્તારમાં સવારે 8 થી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેનાર હોવાનું વીજ સૂત્રોની એક યાદીમાં જણાવ્યું છે. 

Read More

ખંભાળિયા પીજીવીસીએલ સ્ટાફની સેવા પ્રવૃત્તિ: પદયાત્રીઓને આઈસ્ક્રીમ, ચોકલેટનું વિતરણ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬       ખંભાળિયા પીજીવીસીએલના રામનગર સબ ડિવિઝનના સેવાભાવી અધિકારીઓ, કર્મચારીઓએ નવતર અભિગમ અપનાવીને દ્વારકા જતા યાત્રિકોને સેવાઓ આપી હતી.       હાલ હોળી-ધુળેટીના પર્વને અનુલક્ષીને યાત્રાધામ દ્વારકા ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ચાલીને જઈ રહ્યા છે. ત્યારે આ પદયાત્રીઓને ટાઢક થાય તે હેતુથી રામનગર સબ ડિવિઝનના સ્ટાફ દ્વારા આઈસ્ક્રીમ અને…

Read More

હોળી પર્વને અનુલક્ષીને રાજકોટથી દ્વારકા અને ઓખા માટે દોડાવવામાં આવશે ખાસ ટ્રેનો

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬       યાત્રાધામ દ્વારકામાં દર વર્ષે હોળી પર્વ નિમિત્તે ફૂલડોલ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં જતા મુસાફરોની સુવિધા અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા રાજકોટથી દ્વારકા અને ઓખા માટે વિશેષ ભાડા પર અનારક્ષિત હોળી સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. જેની વિગતમાં ટ્રેન નં. ૦૯૫૩૩/૦૯૫૩૪ રાજકોટ-દ્વારકા અનારક્ષિત…

Read More

દેવભૂમિ દ્વારકામાં પદયાત્રાળુઓ માટે સેવા કેમ્પમાં સ્વચ્છતા અભિયાન યોજાયું: અગ્રણી રાજુભાઈ ભરવાડ દ્વારા પ્રેરણાદાયી અભિગમ

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૬       ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાંથી હાલ દ્વારકા તરફ ચાલીને પ્રયાણ કરતા પદયાત્રીઓની હજારોની સંખ્યામાં ભીડ રહે છે. આ પદયાત્રીઓની સેવા- સુશ્રુષા માટે ખૂબ મોટી સંખ્યામાં સેવા કેમ્પ ધમધમી રહ્યા છે. આ વચ્ચે અનેક સ્થળે વ્યાપક કચરો અને ગંદકી જોવા મળે છે. તેના સાફ-સફાઈ તથા નિકાલ માટે અહીંના…

Read More

દ્વારકા માર્ગ પર સંભળાય છે માત્ર એક જ નાદ “જય દ્વારકાધીશ”

– નિર્વિધ્ને સતત ચાલતા દ્વારકા પદયાત્રીઓમાં જોવા મળતો અનેરો ઉત્સાહ – જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૬       કાળીયા ઠાકોર સંગ હોળી- ધુળેટીના ફૂલડોલ ઉત્સવને મનાવવાનું અનન્ય મહાત્મય છે. ત્યારે આગામી તારીખ 3-4 માર્ચના રોજ દ્વારકા ખાતે પરંપરાગત રીતે કરાનાર ભવ્ય ઉજવણીમાં લાખો કૃષ્ણ ભક્તો સહભાગી થનાર છે. જેમાં ખાસ કરીને જુદા જુદા વિસ્તારોમાંથી ચાલીને…

Read More

ભાણવડ નજીક સ્કૂટરની ઠોકરે પદયાત્રી યુવાનનું મૃત્યુ: દંપતિ ખંડિત

જામ ખંભાળિયા, તા. ૨૭-૦૨-૨૦૨૬        ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે રહેતા ગોવિંદભાઈ સિસોટીયા નામના આહીર યુવાન ગત તારીખ 25 ના રોજ રાત્રિના સમયે તેમના ધર્મપત્ની જમનાબેનને સાથે લઈને દ્વારકા ખાતે હોળી નિમિત્તે પગપાળા ચાલીને દર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારે રાણા રોજીવાડા ગામ નજીક પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા…

Read More

ખંભાળિયા વિસ્તારમાં 1500 જેટલા વીજ જોડાણો રદ થશે

જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૬       ખંભાળિયા સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજબિલની બાકી રકમ ધરાવતા આસામીઓના વીજ જોડાણ દૂર કરવા અંગેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.        સમગ્ર રાજ્ય સાથે જામનગર ડિવિઝન હેઠળના ખંભાળિયા વિભાગીય કચેરી દ્વારા આજે સવારથી મેગા ડીસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયા વિભાગીય કચેરી…

Read More

ધારાગઢના યુવાનને જામગરી બંદૂક લઈને શિકાર પર નીકળતા ઝડપી લેવાયો

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૨-૨૦૨૫      ભાણવડ તાબેના ધારાગઢ ગામે રહેતા સદામ અબુ ઓસમાણ મુન્દ્રા નામના 30 વર્ષના શખ્સને ગઈકાલે સોમવારે સાંજે એસ.ઓ.જી. વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ઝાડની કાંટાળી ઝાડીમાંથી જામગરી બંદૂક (અગ્નિ શસ્ત્ર) સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.          ઉપરોક્ત શખ્સ આ જામગરી બંદૂક લઈને જંગલી જાનવરનો શિકાર…

Read More

દ્વારકા નજીક બાઇક અકસ્માતમાં યુવાનનું કરુણ મૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૨-૨૦૨૬        દ્વારકા તાબેના રાંગાસર ગામના વાડી વિસ્તારમાં રહેતા કાનાભા આલાભા સુમણીયા નામના હિન્દુ વાઘેર યુવાન ગત તારીખ 18 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે તેમના સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર જી.જે. 37 સી. 3445 પર બેસીને દ્વારકાથી રાંગાસર ગામે જઈ રહ્યા હતા. ત્યારે નાગેશ્વર રોડ પર પહોંચતા પૂરઝડપે જઈ રહેલા કાનાભા સુમણીયાએ પોતાના…

Read More

સુફી સંત શંકરડાડાની પુણ્યતિથિની બુધવારે ખંભાળિયામાં થશે ભક્તિભાવપૂર્વક ઉજવણી

– સંતવાણી, રક્તદાન કેમ્પ, મહાપ્રસાદ સહિતના આયોજનો – જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૬       સુફી સંત શ્રી શંકરડાડાની 38 મી પુણ્યતિથિ નિમિત્તે આગામી બુધવાર તા. 25 ફેબ્રુઆરીના રોજ ખંભાળિયામાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.         પૂજ્ય શંકરડાડાની પુણ્યતિથિના અનુસંધાને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખંભાળિયામાં દ્વારકા હાઈવે પર કુવાડીયા…

Read More