Friday June 20, 2025

ખંભાળિયામાં જલારામ અન્નપુર્ણા ગૃહ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે વિનામૂલ્યે એક્યુપ્રેશર કેમ્પ તેમજ આધારકાર્ડ અપડેટનો કેમ્પ યોજાયો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

ખંભાળિયામાં છાત્ર શક્તિ રથનું આગમન: ABVP દ્વારા કાર્યક્રમો

એક સમયે મોરબીથી નીકળેલી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની છાત્ર શક્તિ રથયાત્રાએ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવેશ કર્યો કુંજન રાડિયા, જામ ખંભાળિયા

કંટાળા પ્રા શાળામાં બચપન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવા કપડાંનું વિતરણ કરવામાં આવ્યું

મૂકેશ પંડિત, કંટાળાઆજરોજ શ્રી કંટાળા પ્રાથમિક શાળામાં બચપન ચેરીટેબલ ટ્રસ્ટ ,ભાવનગર દ્વારા ધોરણ 1 થી 5 ના તમામ 133 બાળકોને નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું બચપન ચેરીટેબલ ટ્રસ્ટ ના આ ઉમદા અને પ્રેરણાદાયી કાર્ય ને શાળા ના આચાર્ય શ્રી દિપેનભાઈ દીક્ષિત અને શાળા પરિવાર દ્વારા બિરદાવવામાં આવ્યું.

પાલિતાણા નું નોઘણવદર ગામને નંદનવન સરીખું બનાવવા આયોજન

કેન્દ્રીય મંત્રી ડો મનસુખભાઇ માંડવીયા ની પેરણાથી નોઘણવદર ગામના વતની સર્વે જ્ઞાતિની એક મિટિંગ નુ સુરત ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આવનારા દિવસોમાં નોઘણવદર ગામમાં સ્વચ્છતા અભિયાન સાથે ગામને હરિયાળુ બનાવવા તમામ ગ્રામજનો ને ખંભે ખંભો મિલાવીને ને કામ કરવા આયોજન થયું છે. ટુક સમયમાં આયોજન કરવામાં આવશે જેમા આગામી દિવસોમાં સફાઈ ઝુંબેશ હાથ […]

લોક શાશ્વત છે, માટે લોકસાહિત્ય શાશ્વત છે – વસંતભાઈ ગઢવી

લોકભારતી સણોસરામાં વાર્ષિકોત્સવ અને નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા ઈશ્વરિયા, (મૂકેશ પંડિત) લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં વાર્ષિકોત્સવ સાથે યોજાયેલ શ્રી નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળામાં લોકસાહિત્યનાં મર્મજ્ઞ શ્રી વસંતભાઈ ગઢવીએ કહ્યું કે, લોક શાશ્વત છે, માટે લોકસાહિત્ય શાશ્વત છે. ગોહિલવાડની સુપ્રસિદ્ધ લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સંસ્થાનો વાર્ષિકોત્સવ મહાનુભાવો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા […]

દીકરીના જન્મ દિવસે 70થી વધુ વખત રક્તદાન કરનાર દાતા કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા રક્તદાન કરાયું

ભાવનગરભાવનગર જિલ્લા ના સિનિયર તલાટી મંત્રીશ્રી અને અનેક સેવાકીય આયામો માં સક્રિય એવા શ્રી કલ્પેશભાઈ ભટ્ટ દ્વારા તેમની દીકરી ના જન્મ દિવસ પ્રસંગે શ્રી ઉત્તમ એન ભુતા- રેડક્રોસબ્લડ સેન્ટર, રેડક્રોસ બ્લડ બેન્ક, દિવાનપરા રોડ, ભાવનગર આવી ને આજે રક્તદાન કર્યું હતું. કપલેશભાઈ દ્વારા અત્યાર સુધી માં 70 થી વધુ વખત રક્તદાન કર્યું છે અને અન્ય […]

બોખીરામાં 21 વર્ષીય પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત

પરિણીત યુવતીએ આ પગલું શા માટે ભર્યું તે અંગે ભેદભરમ: સીટી ડીવાયએસપી ઋતુ અમરસિંહ રાબા દ્વારા તપાસ ચક્રો ગતિમાન પોરબંદરબોખીરામાં એક 21 વર્ષની યુવાન પરણીત મહિલાએ પોતાના ઘરે કોઈ ભેદી કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોરબંદરમાં તા.૨૬/૧૨/૨૦૨૪ના ૩/૦૦ વાગ્યા પછી કોઇપણ સમયે બોખીરા રામકૃષ્ણ મિશનની બાજુમા એક રહેણાંક […]

22 ફેબ્રુઆરી ના રોજ વેરાવળથી બનારસ સુધી ચાલશે “મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન”

ભાવનગર મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોની વધારે ભીડ ને ધ્યાનમા રાખીને, પશ્ચિમ રેલવેએ વેરાવળ અને બનારસ સ્ટેશન વચ્ચે વેરાવળથી 22 ફેબ્રુઆરી, 2025ના રોજ વિશેષ ભાડા પર “મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય કર્યો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ […]

ભાવનગર પત્રકારત્વના શિખર પુરુષ પ્રતાપભાઈ શાહની 101 મી જન્મ તિથિ નિમિતે શુક્રવારે ચશ્મા વિતરણ, બોર્ન ડેન્સીટી ટેસ્ટ, બી.પી, ડાયાબિટીસ, હિમોગ્લોબીન, બ્લડ ગૃપિંગ કેમ્પ સહિત ના કેમ્પ વિનામૂલ્યે યોજાશે

ભાવનગરભાવનગરમાં પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દિવ્ય ભાસ્કર ગ્રુપ ના સૌરાષ્ટ્ર સમાચાર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ભાવનગર દ્વારા કેમ્પ યોજાશેરેડક્રોસ ના ઉપ પ્રમુખ અને અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા સ્વ.પ્રતાપભાઈ તારાચંદ શાહ ની 101 મી જન્મ તિથિ નિમિતેતા.20/12/24 ને શુક્રવારેસવારે 9.30 થી 12 દરમિયાન શ્રી.પ્રતાપભાઈ તારાચંદ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી ચાલતા રેડક્રોસ […]

પોરબંદર પોલીસ દ્વારા ગરીબોને ધાબળા વિતરણ કરાયું

પોરબંદરપોરબંદર શહેર ટ્રાફિક શાખા પીએસઆઇ કે.એન. અઘેરા, હેડ કોન્સ્ટેબલ પોપટ ગોરાણિયા, અજ્ય જાડેજા, ટાર્ફિક બિર્ઞેડ જયમલભાઈ, નિલેષભાઈ, જયપાલભાઈ વગેરે સ્ટાફ દ્વારા હાલમાં શિયાળામાં ઠંડી વઘારે પડતી હોય જેથી પોરબંદરમાં વસવાટ કરતા ગરીબ અને પછાત વર્ગના જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળા (બ્લેકેટ) નું વિતરણ કરવામાં આવેલ છે.

Back to Top