Friday June 20, 2025

અમદાવાદમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવાં હેતુ આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું

અનંત રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયમાં અનુન્યા ચૌબે તથા રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિનું ચિંતન

મૂકેશ પંડિત, અમદાવાદ: સોમવાર તા.૨૪-૨-૨૯૨૫

અમદાવાદમાં અનંત રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયમાં સ્વદેશી જ્ઞાનને સંકલિત કરવાં હેતુ આંતરરાષ્ટ્રીય સંમેલન યોજાયું. શ્રી અનુન્યા ચૌબે તથા શ્રી રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિનું વૈશ્વિક ચિંતન થયું જેમાં ૧૮ દેશોનાં પ્રતિનિધિઓ જોડાયાં.

શુક્રવારથી રવિવાર દરમિયાન જલપુરૂષ શ્રી રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વ સાથે સ્વરાજ વિમર્શ યાત્રા અંતર્ગત અનંત રાષ્ટ્રીય વિશ્વ વિદ્યાલયમાં ભારતીય જ્ઞાનતંત્ર સંમેલન યોજાઈ ગયું.

અનંત રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયમાં શ્રી અનુન્યા ચૌબે તથા શ્રી રાજેન્દ્રસિંહજીનાં નેતૃત્વમાં પર્યાવરણ અને સામાજિક જાગૃતિનું ચિંતન કરવામાં આવ્યું અને યજ્ઞ, સમૂહ પ્રાર્થના સહિત વિવિધ ઉપક્રમોમાં આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, કાર્યકર્તાઓ અને અંહિના વિદ્યાર્થીઓ સામેલ થયાં.

આ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં અન્ય કાર્યકર્તાઓ શ્રી વિનોદ બોધનકર, શ્રી ઈન્દિરા ખુરાના, શ્રી સોનાઝારિયા મિંજ, શ્રી મધુલિકા બેનરજી, શ્રી સત્યનારાયણબુલ્લી શેટ્ટી, શ્રી નરેન્દ્ર ચુગ, શ્રી મૌલિક સિસોદિયા સહિત વિદ્વાનો અને કાર્યકર્તાઓ જોડાયાં. આ સંમેલનમાં સાંપ્રત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. વિવિધ પ્રકાશનોનું વિમોચન કરવામાં આવ્યું.

કિવા પરિવારનાં આયોજન સાથે અનંત વિશ્વ વિદ્યાલયનાં યજમાનપદે આ સ્વદેશી જ્ઞાન પ્રણાલીઓ અને વ્યવહાર સંદર્ભે યોજાયેલ આંતરરાષ્ટ્રીય પરિષદ માટે શ્રી જસ્મીન ગોહિલ, શ્રી પુનિત કુમાર અને સાથીઓ સંકલનમાં રહ્યાં.

આ સંમેલન દ્વારા વૈશ્વિક સનાતન મૂલ્યો સાથે જીવન પ્રણાલી હેતુ અસરકારક આયોજનો પણ થઈ રહ્યાંનું ગુજરાત જળ બિરાદરીનાં કાર્યકારી સંયોજક શ્રી મૂકેશ પંડિત દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top