
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫
મધ્યપ્રદેશના ઉજજૈનના નિવાસી અને હાલમાં કર્ણાટક રાજયના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પરિવારે આજરોજ યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરે કાળિયા ઠાકોરને શીશ ઝુકાવ્યું હતું અને શ્રીજીની પાદૂકાનું પૂજન કરી, આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મીડીયા સાથેની વાતચીતમાં ગેહલોતે જણાવ્યું હતું કે તેઓ અગાઉ બે વખત દ્વારકાધીશના દર્શન કરી ચૂકયા છે અને આ વખતે પરિવાર સાથે દર્શનનો સંકલ્પ પૂર્ણ કરી ઠાકોરજી પાસે દેશવાસીઓના કલ્યાણની પ્રાર્થના કરી હોવાનું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે, દેવસ્થાન સમિતિના વહીવટદાર ચૌહાણ તેમજ તેમની ટીમ દ્વારા ગેહલોતને દ્વારકાધીશની છબી અર્પણ કરી, ભગવાનનું ઉપવસ્ત્ર અર્પણ કરી સન્માનીત કરવામાં આવ્યા હતા. દ્વારકાના પી.આઈ. ભટ્ટ દ્વારા પણ જરૂરી વ્યવસ્થા જાળવીને રાજ્યપાલ ગેહલોતનું સન્માન કરાયું હતું.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)