
– આંગી દર્શન તથા સમૂહ નવકાર જપના આયોજનો સંપન્ન –
જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫
ખંભાળિયા – જામનગર હાઈવે પર આવેલા સુવિખ્યાત યાત્રાધામ હાલાર તીર્થ આરાધના ધામ ખાતે ગઈકાલે ગુરુવારે મહાવીર જયંતિના પાવન પર્વે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ.પુ. શ્રી વજ્રસેન વિજયજી મહારાજ સાહેબના દિવ્ય આશિષ તથા પ.પુ.આ. શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી વર્લ્ડ નવકાર દિવસની ઉજવણી રૂપે દેરાસરજીમાં સમૂહ નવકાર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે આયંબિલની ઓળી દરમિયાન દરરોજ શ્રીપાલ રાજાના રાસનું વાંચન તેમજ ગુરુવારે પ્રભુ શ્રી મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ઉજવણી પારણું ઝુલાવેલ હતું.
આ પ્રસંગે પ્રભુજીની ભવ્ય આંગીના દર્શન પણ યોજવામાં આવ્યા હતા. આ રીતે ભક્તિભાવપૂર્વક ઉજવણી સંપન્ન થઈ હતી.


(ફોટો:- કુંજન રાડિયા)