ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં આવતીકાલે સાડા નવ કલાકનો વીજકાપ
જામ ખંભાળિયા, તા. ૨૩: ખંભાળિયા પીજીવીસીએલના મહાપ્રભુજી AG ફીડર, ધિંગેશ્વર AG ફીડર અને આશાપુરા AG ફીડર સાથે વડત્રા, ચારબારાના વાડી વિસ્તારનો વીજ પુરવઠો પીજીવીસીએલ દ્વારા જરૂરી સમારકામની કામગીરી કરવાની હોવાથી શુક્રવાર તા. 24 એપ્રિલના રોજ સવારે 7:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેનાર હોવાનું પીજીવીસીએલ સૂત્રોની એક યાદીમાં જણાવાયું છે.
