
જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫
ખંભાળિયામાં જડેશ્વર રોડ ઉપર આવેલી જડેશ્વર હાઉસિંગ સોસાયટી ખાતે આગામી રવિવાર તારીખ 30 માર્ચથી શનિવાર તારીખ 5 એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ (સમૂહ સપ્તાહ)નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી જડેશ્વર હાઉસિંગ સોસાયટી દ્વારા આયોજિત આ સમૂહ સપ્તાહમાં વ્યાસપીઠ પર જાણીતા શાસ્ત્રી શ્રી ચિરાગભાઈ શુક્લ બિરાજીને કથામૃતનું રસપાન કરાવશે. આ સપ્તાહમાં રવિવારે સવારે 10:30 વાગ્યે પોથીયાત્રા, સોમવારે સાંજે કપિલ પ્રાગટ્ય, મંગળવાર તા. 1 ના રોજ સાંજે નૃસિંહ પ્રાગટ્ય, બુધવાર તા. 2 ના રોજ રામ જન્મ, કૃષ્ણ જન્મ તથા નંદ મહોત્સવ, ગુરુવાર તા. 3 ના રોજ બાળલીલા અને ગોવર્ધન લીલા સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ સપ્તાહમાં દરરોજ બપોરે ત્રણ થી સાંજે સાત વાગ્યા સુધી કથા શ્રવણનો લાભ લેવા આયોજક શ્રી જડેશ્વર હાઉસિંગ સોસાયટી તેમજ મુખ્ય યજમાન બીમલભાઈ હરિદાસભાઈ મપારા (મપારા મંડપ સર્વિસ) દ્વારા ધર્મપ્રેમી જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)