Saturday June 21, 2025

પુર્ણ મહાકુંભમાં એક દિવ્ય અનુભવ થયો, મારું જીવન સાર્થક થયું છે : સ્વામી દર્પહાનંદજી

નિમેશ ગોંડલિયા, પોરબંદર

રાજકોટ રામકૃષ્ણ મિશન ના સ્વામી દર્પહાનંદજી કુંભમેળામાં સ્નાન કરી ને રાજકોટ આવ્યા ત્યારે તેમનો અનુભવ જણાવા પ્રયાસ કર્યો હતો સ્વામીજી એ જણાવ્યુ હતુ કે 144 વર્ષ બાદ યોજાયેલ પુર્ણમહાકુંભ માં મને અદભુત દિવ્ય અનુભવ હતો મેળામાં સાક્ષી બનવાનો લાભ મળ્યો અને દિવ્ય વાતાવરણ છે અદભુત વાતાવરણ છે આપ ત્યાં જાઓ એટલે ફીલ થાય કે અલગ જગતમાં આવી ગયા છીએ અહીં ભગવાનની સાક્ષી છે અને એમની કૃપા વરસી રહી છે માની કૃપા ત્યાં વરસી રહી છે મા ગંગા જમના સરસ્વતી મા ડુબકી લગાવી હજારો સાધુ સંતો જેના દર્શન દુર્લભ છે તેવા સંતોના દર્શન થાય છે સનાતન ધર્મનું આ ભવ્ય આયોજન જેની કલ્પના પણ કરવી કદાચ અશક્ય છે એવી સરસ કુંભમેળાની વ્યવસ્થા આમંત્રણ વગર કરોડો લોકો સામેલ થાય છે આ એક દિવ્ય અનુભવ થયો મારું જીવન સાર્થક થયું છે કે આ કુંભમેળા માં જવાનો મને લાભ મળ્યો.

કુંભ મેળામાં સ્નાન કર્યા બાદ સ્વામીજી નું એક ઇન્ટરવ્યૂ લેતા પત્રકાર દ્વારા સારા સાધુ કોને કહેવાય તેઓ પ્રશ્ન કરવામાં આવ્યો હતો તેના જવાબમાં સ્વામીજીએ જણાવ્યું હતું કે જ્યારે પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે મા પાસેથી આશીર્વાદ લીધા મેં કહ્યું હા માં પાસેથી આશીર્વાદ લીધા અને પ્રાર્થના પણ કરી કે જગત કલ્યાણ માટે કશું કરી શકીએ એટલે એમને પ્રશ્ન કર્યો કે સારા સાધુ કોને કહેવાય જેના જવાબમાં સ્વામીજીએ કહ્યું કે જેની અંદર કોઈ વાસના ન હોય જેનું સમગ્ર જીવન ભગવાનના કલ્યાણ માટે લાગેલ હોય સ્વામી વિવેકાનંદજી ની દ્રષ્ટિએ તમારો જીવન લોકોના કલ્યાણ માટે ઉપયોગી થાય સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે હજારો જીવન તમે જીવી લીધા છે એક જીવન તમે મારા માટે આપો. રામકૃષ્ણ મિશનમાં પણ સેવાની ભાવના પ્રથમ છે સાધુ ને પોતાના માટે કશું કરવાનું છે જ નહીં એ વાસના શૂન્ય થઈ જશે તો તેને મોક્ષ પ્રાપ્તિ થઈ જવાની છે જીવન એ લોક કલ્યાણ માટે છે જેઓ બીજા માટે જીવે છે તે ખરેખર જીવે છે.

શું સ્વામી વિવેકાનંદને 100 યુવાનો મળી ગયા છે?

સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે મારે 100 યુવાનોની જરૂર છે જે દેશમાં પરિવર્તન લાવી શકે શું અત્યાર સુધીમાં સ્વામી વિવેકાનંદને 100 યુવાનો મળી ગયા છે? જેના જવાબમાં સ્વામી દર્પહાનંદજીએ જણાવ્યું હતું કે સો નહીં પણ તેનાથી પણ વધારે યુવાનો મળી ગયા છે જે હાલ મોટી સંખ્યામાં સેવામાં લાગી ગયા છે અને જેનું ઉદાહરણ મહાકુંભ જોઈ શકાય છે અને અનેક સેવા પ્રવૃત્તિઓ દેશમાં થઈ રહી છે .

યુવાનો માટે કુંભ મેળો એ પ્રેરણા પ્રાપ્ત થાય એવું સ્થાન છે

સ્વામી દર્પહાનંદજીએ જણાવ્યું હતું કે આજના યુવાનો માટે એક જ સંદેશો છે કે પહેલા કુંભમેળામાં સાધુઓ જતા હતા અને આસપાસના ભક્તો જતા હતા પરંતુ આ વખતે અનેક યુવાનો કુંભમેળામાં વધુ જઈ રહ્યા છે અને ખાસ યુવાનોએ જવું જ જોઈએ અને આપણા સનાતનની કેટલી શક્તિ છે ધર્મની કેટલી શક્તિ છે આપણા સાધુઓ કેટલા આધ્યાત્મિક છે અને કેટલી સહનશક્તિ છે સાથે સાધનાનો કેટલો પાવર છે તે સાધુને મળો તો ખ્યાલ આવે એવું નથી કે આ બધા અભણ સાધુઓ છે હાઈલી એજ્યુકેટેડ સાધુઓ છે જેઓએ લાખોની નોકરી છોડી સાધુ બન્યા હોય છે અને કુંભમાં પધાર્યા હોય છે યુવાનો માટે આ એક પ્રેરણા પ્રાપ્ત થાય એવું સ્થાન છે આપણું જીવન આપણા માટે નહીં પરંતુ બીજાના માટે છે એવી પ્રેરણા પણ મળે છે અને કુંભ મેળાનું આયોજન કેવી રીતે થાય છે તે પણ યુવાનોએ જોવા જેવું છે.

સાધુ થવાનું બધાના નસીબમાં નથી હોતું


જો બધા યુવાનો શરૂ થઈ જાય તો સંસારમાં કોણ રહેશે!
આ પ્રશ્નનો જવાબ જણાવતા સ્વામીજી દર્પહાનંદજીએ કહ્યું હતું કે સાધુ થવાનું બધાના નસીબમાં નથી હોતું માતા પિતા ના આશીર્વાદ હોય ત્યારે સાધુ ખવાય છે સંસાર ત્યાગ કરીને નહીં પરંતુ સંસારમાં રહીને પણ સાધુ જીવનનું પાલન કરી શકાય છે ઘણા લોકો ધર્મનું પાલન કરતાં કરતાં પણ નિસ્વાર્થ ભાવે પોતાનું જીવન ઈશ્વર પ્રાપ્તિ માટે લગાવે છે. સન્યાસી બનવું બધા માટે શક્ય પણ નથી. ભગવાન તમને સિલેક્ટ કરે તો સાધુ બની શકો. રસ્તો ખુલ્લો છે પણ આપણા નસીબમાં લખેલું પણ હોય છે સંસારમાં બીજા માટે પ્રેરણા રૂપ બની શકાય છે આર્મીના જવાનો ઘરથી દૂર રહી કાર્યકર્તા હોય છે તો આ પણ એક સાધના છે તેઓ સેવા કરે છે અને સન્યાસી જીવન એ એટલે એવું નથી કે સંસાર છોડો જીવતા જીવતા પણ સેવા કાર્ય કરી શકાય છે રામકૃષ્ણ મિશનમાં અને અન્ય સંસ્થાઓમાં ધાર્મિક સહિત જેટલા સેવા કાર્યો થાય છે તે ભક્તો અને કાર્યકર્તાઓ દ્વારા જ થાય છે.

કુંભમેળામાં ભગવાનની પ્રાપ્તિ થાય છે!

સ્વામી દર્પહાનંદજી એ જણાવ્યું હતું કે ભગવાન દેખાય તો પણ એ વ્યક્ત કરવાનો વિષય નથી જેને ભગવાનની પ્રાપ્તિ થાય છે એ મન થઈ જાય છે તમે એના સંપર્કમાં આવો ત્યારે ખ્યાલ આવે કે આ સાધુ એ કંઈક પ્રાપ્ત કરેલું છે તમે સંપર્કમાં આવો એટલે એના વાઇબ્રેશનથી જ ખ્યાલ આવે તમે પૂછશો તો કોઈ નહીં કે પરંતુ તમે મળો તો એની અનુભૂતિ થશે આટલું મોટું આયોજન એ ભગવાનની શક્તિ વગર શક્ય નથી આમ કહી શકાય કે ભગવાનની શક્તિ જ આ કુંભમેળાનું આયોજન સફળ બનાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top