Friday August 08, 2025

શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાતથી પ્રસન્નતા વ્યક્ત કરતાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા

વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા અભિવાદન

મૂકેશ પંડિત, જાળિયા રવિવાર તા.૯-૨-૨૦૨૫

ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ સાથે રહેલ શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાતથી કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ પ્રસન્નતા વ્યક્ત કરી છે. વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું.

ગોહિલવાડનાં જાણીતાં શિવકુંજ આશ્રમ જાળિયાની મુલાકાત કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ લીધી છે. તેઓએ આશ્રમમાં અલગ અનુભૂતિનાં વાતાવરણનો ઉલ્લેખ કરી પ્રસન્નતા વ્યક્ત કરી છે.

ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ સાથે રહેલ શિવકુંજ આશ્રમ જાળિયાની આ મુલાકાત વેળાએ શ્રી વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવાર દ્વારા તેઓનું અભિવાદન કરવામાં આવ્યું. આ સાથે જ આશ્રમનાં યજ્ઞસ્થાનમાં વંદના કરી પ્રદક્ષિણા લાભ પણ લીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top