Saturday June 21, 2025

સંત નગા લાખા ઠાકર જગ્યાના મહંત રામબાપુને મહામંડલેશ્વરની પદવી મળતા શહેર ભાજપ દ્વારા સન્માન- સ્વાગત કાર્યક્રમ

ભાવનગર

સંત શિરોમણી નગા લાખા ઠાકર જગ્યાના મહંત અનંતવિભૂષિત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત તીર્થરાજ પ્રયાગ ખાતેના મહાકુંભમાં શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વરની પદવી એનાયત કરવામાં આવેલ. ૨૮-૦૧-૨૦૨૫ ના રોજ શ્રી રામબાપુના સ્વાગત- સન્માન અર્થે શહેરમાં શોભાયાત્રા રાખવામાં આવેલ. ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાજપ સંગઠન દ્વારા શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી રામબાપુનું મંડપ સજાવીને, ધર્મગીતોનો ગુંજારવ સાથે હાર-તોરા અને પુષ્પો દ્વારા સ્વાગત કરવામાં આવેલ, જેમાં અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, મેયર ભરતભાઇ બારડ, ત્રણેય મહામંત્રી અલ્પેશભાઇ પટેલ, નરેશભાઇ મકવાણા, પાર્થભાઈ ગોંડલિયા સહિત સમગ્ર શહેર સંગઠન, સ્ટે. ચેરમેન રાજુભાઇ રાબડીયા સહિત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને નગરસેવકો, વરિષ્ઠ આગેવાનો, વોર્ડ સંગઠન, શિક્ષણ સમિતિ અને નાગરિક બેન્કના હોદ્દેદારો, તમામ સેલ-મોરચાના હોદ્દેદારો તેમજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોએ સંત શિરોમણી રામબાપુને પુષ્પહાર કરીને આશીર્વાદ લીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top