Headlines

ભાવનગર શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વડવા- બ વોર્ડના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન

ભાવનગર મહાનગરપાલિકાની વડવા – બ વોર્ડની પેટા ચૂંટણી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના વડવા- બ વોર્ડ નં. ૩ ના ઉમેદવારશ્રી અમરશીભાઈ ચુડાસમાના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન શહેર અધ્યક્ષશ્રી અભયસિંહ ચૌહાણ તથા ઉમેદવાર શ્રી અમરશીભાઈ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિમાં તારીખ ૫-૨-૨૦૨૫ ના રોજ કરવામાં આવેલ, જેમાં મેયરશ્રી ભરતભાઈ બારડ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પશ્ચિમના ધારાસભ્યશ્રી જીતુભાઈ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હર્ષદ અને નાગેશ્વર યાત્રાધામનો થશે નોંધપાત્ર વિકાસ: રાજ્ય સરકાર દ્વારા 187 કરોડની ફાળવણી: સરવે કામગીરી શરૂ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૬-૦૨-૨૦૨૫         દેવોની ભૂમિ એવી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક પ્રાચીન અને ભવ્ય ધાર્મિક સ્થળો આવેલા છે. ત્યારે જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં સ્થિત વિવિધ મંદિરો તેમજ દેવસ્થાનોના વિકાસ માટે સરકાર દ્વારા ખાસ લક્ષ્ય કેળવવામાં આવ્યું છે. જેમાં સૌથી પ્રખ્યાત અને વિખ્યાત એવું દ્વારકાનું દ્વારકાધીશ મંદિર અને બેટનું હનુમાન…

Read More

ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ દ્વારા પડતર પ્રશ્નો અંગે રાજ્યના શિક્ષણ મંત્રીને રૂબરૂ રજૂઆતો કરાઈ: ગંભીર પ્રશ્નોના તાકીદે ઉકેલની માંગ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૬-૦૨-૨૦૨૫      ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના હોદ્દેદારો દ્વારા તાજેતરમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાને રૂબરૂ મળીને તેઓના વિવિધ પ્રશ્નો સંદર્ભે રજૂઆતો કરવામાં આવી હતી.         રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ, અધ્યક્ષ જયપ્રકાશ પટેલ તથા મહામંત્રી ભરતભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં રાજ્ય સરકાર દ્વારા તારીખ 1 એપ્રિલ…

Read More

દેવભૂમિ દ્વારકાના દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ માટે કામ કરતી હસ્તીઓને પારિતોષિક

– તા. 24 સુધી ઉમેદવારો અરજી કરી શકશે –: અલગ અલગ ત્રણ કેટેગરીમાં અપાશે પારિતોષે કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર કચેરી દ્વારા રાજ્ય કક્ષાના દિવ્યાંગ લોકોને પારિતોષિક મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. આ એવોર્ડ 40 ટકા કે તેથી વધુ શારીરિક ક્ષતી ધરાવતી શ્રેષ્ઠ કાર્યક્ષમ વ્યક્તિઓ અને…

Read More

અમદાવાદમાં ગુજરાતના પશુ ચિકિત્સકો માટે આંતરાષ્ટ્રીય કક્ષાનો વર્કશોપ સમ્પન્ન

કુંજન રાડિયા, અમદાવાદ, તા. ૦૬-૦૨-૨૦૨૫     અમદાવાદ ખાતે ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ અને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન, યુ.એસ.એ.ના સંયુકત ઉપક્રમે બુધવારે રાજ્યના પશુ ચિકિત્સકો માટે પશુઓમાં ફ્રેકચર અને વુડ મેનેજમેન્ટ વિષય સાથે બે દિવસીય હેન્ડ્સ ઓન ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિનથી આવેલા નિષ્ણાંત વેટરીનરી સર્જન ડૉ. રાયન બ્રુઅર, ડૉ. જેન રેની,…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકેનો ચાર્જ સંભાળતા આર.એમ. તન્ના: તત્કાલીન કલેકટરને અપાઈ ભાવભરી વિદાય

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તરીકે આર.એમ. તન્નાએ આજરોજ તેમનો ચાર્જ સંભાળ્યો હતો. આ ચાર્જ મેળવતી વખતે તેમણે જિલ્લા કલેકટર તરીકે જિલ્લાના વિકાસને અગ્રતા આપીને ‘ટીમ દેવભૂમિ દ્વારકા’ તરીકે કાર્ય કરવા સૌને પ્રેરિત કર્યા હતા. સાથે જિલ્લાની પ્રગતિની સફરને વધુ આગળ વધારવા આત્મવિશ્વાસની લાગણી વ્યક્ત કરી…

Read More

ખંભાળિયાની બદીયાણી હોસ્પિટલમાં રવિવારે નેત્રયજ્ઞ

જામ ખંભાળિયા, તા. ૦૫-૦૨-૨૦૨૫         ખંભાળિયામાં જામનગર ધોરીમાર્ગ પર આવેલી માનવ સેવા સમિતિ સંચાલિત એલ.પી. બદીયાણી હોસ્પિટલ ખાતે આગામી રવિવાર તા. 9 ફેબ્રુઆરીના રોજ સવારે 9 થી 11:30 વાગ્યા સુધી વિના મૂલ્યે નેત્ર નિદાન, સારવાર, દવા વિતરણ તેમજ શસ્ત્રક્રિયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.           મૂળ ગોસા (તા….

Read More

‘વી કેર’ : રિલાયન્સ દ્વારા યાત્રાળુઓને પૌષ્ટિક ભોજન અને આવશ્યક આરોગ્ય સંભાળથી લઈને સુરક્ષિત પરિવહન અને સીમલેસ કનેક્ટિવિટી સુધીની અનેક સેવાઓ

વિશ્વના સૌથી મોટા ધાર્મિક-સાંસ્કૃતિક પ્રસંગ એવા મહાકુંભમાં લાખો યાત્રાળુઓના સ્વાસ્થ્ય, કલ્યાણ અને સલામતીને સક્ષમ બનાવવા અને તેમની મુસાફરીને વધુ સુરક્ષિત, અનૂકૂળ અને સરળ બનાવવાની અમને મળેલી આ તક છે: અનંત મૂકેશ અંબાણીપ્રયાગરાજ, 5 ફેબ્રુઆરી 2025: ગંગા, યમુના અને સરસ્વતીના પવિત્ર જળના પ્રયાગરાજના સંગમ તટે લાખો લોકો મહાકુંભ 2025ની આધ્યાત્મિક યાત્રાએ આવી રહ્યા છે. સ્વ-ની શોધ…

Read More

મહાકુંભમેળામાં પત્રકારો અને સમાચાર સંસ્થાઓ માટે વિશેષ કેન્દ્ર: ઉત્તરપ્રદેશ જનસંપર્ક વિભાગ દ્વારા પ્રયાગરાજ કુંભમેળાક્ષેત્રમાં રહેલી સુવિધા

પ્રયાગરાજ બુધવાર તા.૫-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) સમગ્ર વિશ્વનાં વિરાટ એવાં મહાકુંભમેળાનાં પ્રચાર પ્રસાર હેતુ પત્રકારો અને સમાચાર સંસ્થાઓ માટે વિશેષ કેન્દ્ર સંચાલન થઈ રહેલ છે. ઉત્તરપ્રદેશ જનસંપર્ક વિભાગ દ્વારા પ્રયાગરાજ કુંભમેળાક્ષેત્રમાં સુવિધા રહેલી છે. ભારતવર્ષનાં સનાતન પર્વ કે જેનું સમગ્ર વિશ્વને આકર્ષણ રહેલુ છે, તે કુંભમેળા સંદર્ભે અગાઉથી જ સમાચાર માધ્યમો નોંધ લેતાં રહે…

Read More

ભાવનગર વડવા- બ વોર્ડની પેટા ચૂંટણી અનુસંધાને શહેર ભાજપ કાર્યાલયે અનુ. જનજાતી મોરચાની બેઠક મળી

વડવા- બ વોર્ડની પેટા ચૂંટણીના અનુસંધાને તારીખ ૪-૨-૨૦૨૫ ના રોજ સાંજે ૬-૦૦ કલાકે ભાવનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે મહામંત્રી શ્રી અલ્પેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને અનુસૂચિત જનજાતિ મોરચાની એક બેઠક મળેલ, જેમાં ચુંટણી પ્રભારી શ્રી નરેન્દ્રસિંહ જાડેજા, અનુ. જનજાતી મોરચાના પ્રભારી શ્રી હરેશભાઇ પરમાર, અનુ. જનજાતી મોરચાના પ્રમુખ શ્રી સુનિલભાઈ ઉમટ, પૂર્વ પ્રમુખ શ્રી રાજુભાઇ બુરવટ,…

Read More