Headlines

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલનો ભીષણ હુમલો: કન્યા શાળા પરના બોમ્બમારોમાં મૃત્યુઆંક વધીને 85 થયો

​તેહરાન: ​ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા ભીષણ સૈન્ય હુમલામાં સામાન્ય નાગરિકોના મૃત્યુનો આંકડો હવે વધુ ગંભીર બની રહ્યો છે. ઈરાનની ન્યાયપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શનિવારે એક કન્યા શાળા પર થયેલા હવાઈ હુમલામાં મૃત્યુઆંક વધીને 85 પર પહોંચી ગયો છે. ​અલ જજીરાના એક રિપોર્ટ અનુસાર, આ હુમલા બાદ સર્જાયેલી સ્થિતિ અત્યંત…

Read More

સ્વામિનારાયણ મુખ્ય મંદિર  બોટાદ ખાતે સંકલ્પસિદ્ધ ચરણારવિંદ સમક્ષ ગોળનો અન્નકૂટ ધરાવાયો

વિપુલ હિરાણી  ભાવનગર તા.૨૮ ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજના તાબાનું અને શ્રી સરધારધામ સંચાલિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર – બોટાદ ખાતે,પૂજ્ય સદગુરુ નિત્યસ્વરૂપદાસજી સ્વામી સરધારવાળાની પ્રેરણાથી સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી હવેલીમાં મહાપ્રતાપી સંકલ્પસિદ્ધ ચરણારવિંદ સમક્ષ ગોળનો અન્નકૂટ ધરાવાયો હતો.અને બહોળી સંખ્યામાં  ભક્તોએ જે અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો.. અને દરરોજ હજારો શ્રધ્ધાળુઓ બોટાદધામમાં મહાપ્રતાપી સંકલ્પસિદ્ધ ચરણારવિંદ…

Read More

પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં રાજ્યમંત્રી પરસોતમભાઈ સોલંકી સહભાગી થયાં

વિપુલ હિરાણી   ભાવનગર તા.૨૮ મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી શ્રી પરસોતમભાઈ સોલંકીએ આજે તેમનાં ભાવનગર જિલ્લાના પ્રવાસ દરમિયાન વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે આયોજિત મુરલીધરજી મહારાજ નિજ મંદિર મહોત્સવમાં સહભાગી થયાં હતાં. આ પાવન અવસરે પ્રખ્યાત કથાકાર રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)ના વ્યાસપીઠ પરથી પ્રસ્તુત થયેલ શ્રીમદ્ ભાગવત કથામૃતનું રાજ્ય મંત્રીશ્રીએ રસપાન કરી આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. મહોત્સવ પ્રસંગે…

Read More

આરંભડાના રહેણાંક મકાનમાં છુપાવવામાં આવેલા વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬         ઓખા મંડળના મીઠાપુર તાબેના આરંભડા વિસ્તારમાં રહેતા ભગતભા રાણાભા માણેક નામના 32 વર્ષના શખ્સ દ્વારા પોતાના કબજાના રહેણાંક મકાનમાં વેચાણ અર્થે દારૂ મંગાવીને રાખવામાં આવ્યો હોવાની માહિતી મીઠાપુર પોલીસ મથકના એ.એસ.આઈ. એન.કે. જાડેજા, મહીરાજદાન ગઢવી અને જયપાલસિંહ જાડેજાને પેટ્રોલિંગ દરમિયાન મળતા આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો….

Read More

પટેલકાના યુવાને ઝેરી ટીકડા ગળી લેતા મૃત્યુ

– ઓખામાં મધદરિયે માછીમાર પ્રૌઢને હાર્ટ એટેક – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬      કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા રામભાઈ વીરાભાઈ લગારીયા નામના 47 વર્ષના યુવાને ગઈકાલે શુક્રવારે કોઈ અગમ્ય કારણોસર પોતાના રહેણાંક મકાને પોતાના હાથે ઝેરી ટેકરા ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવવા અંગેની જાણ નિલેશભાઈ રામભાઈ લગારીયા (ઉ.વ. 26) એ કલ્યાણપુર…

Read More

ખંભાળિયાના આહિર સિંહણ ગામે મંગળવારે શ્રી જખ્ખ ડાડાની પહેડી મહોત્સવ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬     ખંભાળિયા તાલુકાના આહિર સિંહણ ગામે બિરાજમાન ક્ષત્રિય સંઘાર સમાજનાં ઈષ્ટ દેવ શ્રી સંઘાયડા વારા જખ્ખડાડાની પહેડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.       દર વર્ષેની જેમ આ વર્ષે પણ શ્રી ક્ષત્રિય સંઘાર સમાજ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા આ આયોજનમાં મંગળવાર તા.3 ના રોજ સવારે 10 વાગ્યે ધ્વજારોહણ, સાંજે…

Read More

બેટ દ્વારકાધીશ મંદિર ખાતે 465 વર્ષથી દોલોત્સવની અવિરત પરંપરા

– રાજાધિરાજ દ્વારકાધીશજીને અર્પણ થશે વિશેષ ફગવા ભોગ – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬     બેટ દ્વારકાના પવિત્ર ધામ ખાતે ફાગણ મહિનાના પાવન તહેવારો હોળી અને ફૂલડોલ નિમિત્તે દોલોત્સવની ભવ્ય અને પારંપરિક ઉજવણી યોજાનાર છે. બેટ દ્વારકાધીશ જગતમંદિરમાં આ ઉત્સવને “દોલોત્સવ” તરીકે ઓળખવામાં આવે છે અને આ પરંપરા છેલ્લા 465 વર્ષથી અવિરત રીતે નિભાવવામાં આવી…

Read More

દ્વારકાધીશ મંદિરમાં ગુલાલની છોળો સાથે ધર્મમય માહોલ

– ભાવિકોમાં ફુલડોલનો ઉત્સાહ ચરમસીમાએ – જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬         યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ મનાવવા આવી પહોંચેલા ભાવિકોની ભીડમાં કાળિયા ઠાકોર સંગ ફુલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. ત્યારે દ્વારકાધીશ મંદિરના નિજ મંદિરમાં હોળાષ્ટકના સ્થાપનથી આજપર્યંત ભગવાન દ્વારકાધીશજીની સન્મુખ આરતીમાં શ્રુંગાર આરતી તથા સાંજે સંધ્યા આરતીમાં ભગવાન દ્વારકાધીશજીને હજારો ભાવિકોની…

Read More

ખંભાળિયા પંથકમાં ફૂલોનું મબલક ઉત્પાદન: ભાવમાં કડાકો બોલી જતાં ધરતીપુત્રોને વ્યાપક નુકસાની

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬        ખંભાળિયા તાલુકાના અનેક વિસ્તારોમાં ખેડૂતો હાલ વિવિધ પ્રકારના ફૂલની ખેતી કરે છે. ગુલાબ, ડોલર, વિગેરે જેવા પરંપરાગત ફૂલોની ખેતી અહીં કરવામાં આવે છે. ત્યારે થોડા સમય પૂર્વે શિયાળા ના પ્રારંભે ફૂલોના ભાવની વધતી જતી બજાર વચ્ચે પ્રતિકૂળ હવામાનના કારણે ખેડૂતોને પૂરતી આવક થઈ શકી ન હતી.    …

Read More

ખંભાળિયામાં આવતીકાલે ડાયાબિટીસ અને બીપીનો કેમ્પ

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૨-૨૦૨૬       ખંભાળિયાની સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે આવતીકાલે રવિવાર તારીખ 1 માર્ચના રોજ અહીંના જલારામ મંદિર ખાતે વિનામૂલ્યે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દાતાઓના સહયોગથી સવારે 9 થી 11 વાગ્યા સુધી નિઃશુલ્ક નિદાન, સારવાર અને દવા વિતરણ કરવામાં આવનાર છે. જેનો લાભ લેવા ખંભાળિયા…

Read More