Thursday August 07, 2025

ખંભાળિયામાં જલારામ પુણ્યતિથિ નિમિત્તે આજે મહિલા સંસ્થાઓ દ્વારા રોટલાના અન્નકૂટના દર્શન

કુંજન રાડિયા, જામ ખંભાળિયા,

       સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 144 મી પુણ્યતિથિ નિમિત્તે આગામી રવિવાર તારીખ 23 મીના રોજ ખંભાળિયા લોહાણા મહિલા મિત્ર મંડળ દ્વારા સૌ પ્રથમ વખત અહીંના જલારામ મંદિર ખાતે વિવિધ પ્રકારના રોટલાના અન્નકૂટના દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મહિલા કાર્યકરોની ટીમ દ્વારા વિવિધ પ્રકારના તેમજ વિવિધ અનાજથી બનાવવામાં આવેલા રોટલાનો અન્નકૂટ પૂજ્ય જલારામ બાપાને ધરવામાં આવશે.

        આ દર્શનનો લાભ સવારે 10 થી 12 તેમજ સાંજે 4 થી 7 વાગ્યા સુધી લેવા સર્વે જલારામ ભક્તોને લોહાણા મહિલા મિત્ર મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top