Headlines

ખંભાળિયા: ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છૂટકારો

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૬

ખંભાળિયાના રહીશ સંજયગર બાબુગર મેઘનાથી વિરુદ્ધ પોરબંદરના રહીશ ફરિયાદી દિવ્યાબેન રાજેન્દ્રભાઈ પરમાર દ્વારા રૂપિયા 15 લાખ હાથ ઉછીના આપ્યાનો દાવો કરી અને સંજય મેઘનાથી વિરુદ્ધ પોરબંદરની કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે ચેક રિટર્ન અંગેનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં આરોપી તરફે રોકાયેલા જાણીતા એડવોકેટ ધ્રુમિલભાઈ પંચમતીયા દ્વારા વિવિધ આધાર પુરાવાઓ સાથે પોરબંદરની કોર્ટ સમક્ષ કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં રાખી, અદાલતે આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ થોડી મૂકવા માટેનું હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે ધ્રુમિલભાઈ પંચમતીયા તથા સાથે તરુણભાઈ વિઠલાણી પણ સાથે રહ્યા હતા.

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *