- શોભના દૂધરેજીયા
આતો તારા પ્રેમ નો નશો હતો
નહિતર દુનિયા મારી પાછળ દીવાની હતી….
શબ્દ અધૂરો કહાની પણ અધૂરી તોય જિંગદી નથી થાતી પુરી. પ્રેમ નું જયારે નામ આવે ને ત્યારે શ્રી કૃષ્ણ ને રાધા ની છવી નજર સમક્ષ ઉભરાય આવે. પણ શું કોઈ કરી શકે રાધાકૃષ્ણ જેવો પ્રેમ? કે એમ કહું કે કોઈ ને થઈ શકે રાધા જેવો પ્રેમ.પ્રેમ એટલે રાધા સામર્પણ એટલે રાધા જયારે અલક્ષ્મી શ્રી કૃષ્ણનો હાથ ઝાલીને ઉભી હોય ને એક હાથ રાધા એટલે કે લક્ષ્મી ઝાલીને ઉભી હોય ત્યારે કૃષ્ણ એમ બોલે કે મારા બે ભાગ કરી લ્યો ત્યારે હસતા મોઢે રડતી આંખે હાથ મૂકી ને ક્યે હું તારા બે ભાગ ન જોય શકું એનું નામ પ્રેમ..પ્રેમ ની સાદી પરિભાષા એટલે સમર્પણ.
આજના વઘતા જતા આઘુનિક યુગમાં પ્રેમની સાથે પરિભાષા પણ બદલાય ગઈ છે પ્રેમ નો મતલબ હવે સમર્પણ રહ્યો નથી પ્રેમ એટલે એક પ્રકારની ફેશન થઈ ગઈ છે. તમે જેને પ્રેમ કરો એ વ્યક્તિ ને તમે દુઃખી કઇરીતે આપી શકો. તમે જેને પ્રેમ કરો છો એની તકલીફ જો તમને તમારી તકલીફ નં જ લાગતી હોય તો એ પ્રેમ નહીં સ્વાર્થ છે.
પ્રેમ માં ફક્ત સમર્પણ જ હોઈ શકે ત્યાગ જ હોય શકે કેમકે પ્રેમ પમવામો હોતો જ નથી ફક્ત જીવવાનો હોય છે. ઘણા લોકો પ્રેમમાં બરબાદ થઈ જતા હોય છે તો ઘણા લોકો પ્રેમના સથવારે બરબાદી માંથી પણ પોતાનો રસ્તો કાઢી લેતા હોય છે. પ્રેમ તો અનમોલ છે નસીબદાર ના ભાગ્યમાં જ આવે છે. કોઈ પ્રેમ ને સાથે લઈને જીવી જાય છે તો કોઈ પ્રેમમાં તૂટી જાય છે. તૂટવું એ પ્રેમનો એક ભાગ હોઈ શકે પણ પ્રેમ માં પોતાની જાતને એટલી પણ ગળાડૂબ નં કરવી કે પોતાનો જીવ ગુમાવો પડે જે પ્રેમ ક્યારેય પણ જીવ નથી લેતો જે પ્રેમ જીવ લ્યે એ પ્રેમ નહીં સ્વાર્થ હોય છે. પ્રેમમાં તો ક્યારેય પણ કોઈ બરબાદ નથી થતું પ્રેમ તો જિંદગી જીવાડે છે. બરબાદ તો બસ સ્વાર્થ જ કરી શકે.જયારે પ્રેમમાં ભંગાયેલો માણસ ક્યારેય પણ બીજાને દુઃખ નથી આપી શકતો કે કોઈને હેરાન નથી કરી શકતો.જયારે પ્રેમ તૂટે છે ત્યારે એક અસહનીય પીડા થાય છે. આપણી માતા એ આપણને જન્મ આપતી વખતે જે પીડા સહન કરી એનું શું.એક વાર એમનો પણ વિચાર કરી લેવો જોયે. પ્રેમમાં કોઈ ને દુઃખ નં આપી શકાય કે ન કોઈ ની જિંદગી બરબાદ કરી શકાય તો એજ કરવું હોય તો એ પ્રેમ નથી. એવુ નથી કે પ્રેમ માં બધા વિખુટા જ પડે છે ઘણીવાર વાર પ્રેમ સફળ પણ થતો હોય છે. અને જો પ્રેમ સફળ નં પણ થાય તો પોતાની જાતને પોતાના માતાપિતા કે પરિવાર માટે સમર્પિત કરી ને જીવવું એ પણ પ્રેમ જ છે. જેમાં સ્વાર્થ નથી એજ પ્રેમ છે. જ્યાં ફક્ત સમર્પણ છે એજ પ્રેમ છે. શ્રી રાધામાં એ પણ શ્રી કૃષ્ણ ને તેઓના કર્મ પૂર્ણ કરવા માં સહયોગ આપેલો તો આપડે તો સામાન્ય માણસ છીયે. પ્રેમ કરવાનો નથી હોતો એ પણ સત્ય જ છે પણ પ્રેમમાં સમર્પણ હોવું એ પણ પરમ સત્ય છે.
કોઈ બે વ્યક્તિ જયારે પ્રેમમાં પડે છે ત્યારે પ્રેમ પ્રેમ કરીને જિંદગી બગાડી નાંખે છે ઘણી દીકરીઓ લવમેરેજ કરવા માટે પોતાના માબાપ ઘરને મૂકી દેવામાં જરાય વિચારતી નથી. પણ લગ્નના ટૂંક સમયમાં જ પ્રેમ ની પરિભાષા બદલાય જાય છે જે વ્યક્તિ સાથે જીવવા માટે પોતાના પરિવાર અને માતાપિતાને છોડ્યા હોય એ જ દીકરી છેલ્લે આત્મહત્યા કરતી હોય છે. કાતો પછી કોર્ટમાં ઉભી હોય છે. વ્યક્તિ બન્ને એજ હોય છે પણ એકબીજાની સાથે નહીં સામે હોય છે. એક સમયે એકબીજા હારે જીવવામરવાની વાતો કરવા વાળા આજ એકબીજાની સામે કોર્ટ માં ઉભા હોય છે. અહીંયા એક જ સવાલ થાય છે કે પ્રેમ ક્યાં ગયો. પતિ ગયો કે જે હતું એ પ્રેમ હતો જ નય. પ્રેમમાં બન્ને વ્યક્તિ એકજ હોય છે તો પછી એક માંથી બે કઇરીતે થઈ શકે.પ્રેમ આપવાનો હોય તો આ પ્રેમ જીવ કય રીતે લય શકે. પ્રેમમાં અંધ બનીને ભાગેલા પ્રેમોપંખીડા ના મનમાં ત્યારે એકજ શબ્દો ગુંજતા હશે કે આતો તારા પ્રેમ નો નશો હતો બાકી તો આખી દુનિયા મારી પાછળ દીવાની હતી….
Very nice