જામ ખંભાળિયા, તા. ૦૪-૦૪-૨૦૨૬
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટણી માટે મતદાન આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાશે છે. આ સાથે આદર્શ આચારસંહિતા અમલમાં આવી છે. જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે નાગરિકોમાં મતદાન જાગૃતિ ફેલાય તે હેતુથી ખંભાળિયા તાલુકાની નવીવાડી પ્રાથમિક શાળાના વિધાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેના શપથ ગ્રહણ કરાયા હતા.
_____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)
