ભાવનગર
તા.૭/૧૨/૨૦૨૪ ના રોજ શૈત્રુજી ડેમે સલાહકાર સમિતિની બેઠક યોજાઇ તેના અધ્યક્ષ જળ જાળવણી વિભાગના અધિક્ષક ગુપ્ત હતા આ બેઠકમાં તળાજા અને પાલીતાણાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને ભીખાભાઈ બારૈયા હતા તેમજ લડાયક ખેડુત નેતા ભરતસિંહ વાળા અને મોટીસંખ્યામાં ખેડુતો હતા તેમજ તળાજા માર્કેટીંગ યાર્ડના પ્રમુખ ભીમભાઇ વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા તેમજ બન્ને કાંઠાના મંડળના અનેક પ્રમુખ હતા અને શૈત્રુજી સિંચાઇ વિભાગના કાર્યપાલક બાલધિયા સાહેબ વિગેરે જમણા ડાબા કાંઠાના અધિકારીઓ હતાં આ બેઠકમાં પ્રથમ બાલધિયા સાહેબે એજન્ડા રજુ કરેલ તેમાં ૧૮ ફુટ પાણી ર્રીજર્વ રાખવાની જાહેરાત થતાં ખેડુત નેતા ભરતસિંહ વાળાએ ફુંફાડો માર્યો અને ર્રીજર્વનો ફતવો બંધ કરવાં ચુચન કર્યું તેથી કાર્યપાલક બાલધિયાએ ૧૯૯૫ થી સરકારનો આદેશ છે તેમજ બન્ને ધારાસભ્યોએ પીવાનું પાણી ર્રીજર્વ રાખવું તે પ્રથમ અગ્રતા હોય છે તેથી ભરતસિંહે ચકમક ઝરતી ભાષામાં આખો ડેમ ૩૪ ફુટ ર્રીજર્વ રાખો પણ બન્ને કાંઠાના તમામ ખેડુતોને વૈશાખ મહિનાની પુનમ સુધી સતત પાણી આપો તેમજ બાલધિયાએ બન્ને કાંઠે પ્રથમ આઠ પાણી,પછી સાત પાણી વચ્ચે છ પાણી અને છેવાડે જમણા કાંઠે બે પાણી તે સાંભળીને ભરતસિંહે લાલ આંખ કરી અને શૈત્રુજીનુ પાણી એકને ગોળ અને એકને ખોળ બંધ કરો અને આજની મીટીંગ રદ કરો તેથી લાંબી ચર્ચાના અંતે જમણા કાંઠે છેવાડે કરસાળ,નૈપ અને સથરા સુધી પાંચ પાણી આપવા અને ડાબા કાંઠે છેવાડે ભુભલી સુધી પાંચ પાણી આપવા તેવું નક્કી કરાવીને ભરતસિંહે મીટીંગ આગળ ચાલવા દીધી તેથી ખેડુતોએ ખુશી વ્યક્ત કરી અને નેતાઓ મુંડી ખજંવાળતા રહ્યા તેમજ ભરતસિંહે બન્ને કેનાળો કાલથી રીપેરીંગ શરૂ કરો અને મોટાભાગના દરવાજા બારીઓ નવી લોક વાળી ફીટ કરો અને ૧૯૯૪ થી જમણા કાંઠે તરેડી,સથરા,વાલાવાવ,ભાદૌડ અને વડલીના ખેડુતોની જમીન શૈત્રુજી સિંચાઇ વિભાગે જમીન સંપાદન કરી કેનાળ બનાવી તેમાં ત્રીસ વર્ષથી એક ટીપું પાણી નથી આવ્યું તેવો વૈધક પ્રશ્ન ભરતસિંહે રજુ કરતા અધિક્ષક અને નેતાઓ ચકિત થયાં અને ટુંક સમયમાં જમીન પરત આપવા એહવાલ તૈયાર કરવા અધિકારીઓને ચુચનો થયા તેમજ છેલ્લા ત્રીસ વર્ષથી છેવાડે બન્ને કાંઠે બે બે પાણી મળતા તે ભરતસિંહે ત્રીસ વર્ષે પાંચ પાણી આપવા તેવું નક્કી કરાવીને બેઠક પૂર્ણ થવા દીધી તેમજ આ સલાહકાર બેઠકમાં થયેલા નીર્ણયોમા પાછળથી ફેરફાર થશે તો જોયા જેવી થશે તેવી ચિમકી ભરતસિંહે ઉચ્ચારી તેમ ખેડુત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ જણાવી રહ્યા છે









