પ્રયાગરાજનાં સંગમક્ષેત્રમાં મહાકુંભમેળા પર્વમાં ‘અમૃતબિંદુ યોગ’ અગાઉ થયો ‘માવઠા સંયોગ’
શિયાળાની ઠંડી સાથે સતત બદલાતું રહ્યું છે વાતાવરણ
પ્રયાગરાજ રવિવાર તા.૧૨-૧-૨૦૨૫
( મૂકેશ પંડિત દ્વારા)
સમગ્ર વિશ્વ માટે આકર્ષણ છે તેવાં પ્રયાગરાજનાં સંગમક્ષેત્રમાં મહાકુંભમેળા પર્વમાં ‘અમૃતબિંદુ યોગ’ અગાઉ ‘માવઠા સંયોગ’ થયો છે. શિયાળાની ઠંડી સાથે અંહિયા વાતાવરણ સતત બદલાતું રહ્યું છે.
સોમવારથી પ્રારંભ થતાં મહાકુંભમેળામાં સમગ્ર ભારત ઉપરાંત દુનિયામાંથી ભાવિકો તેમજ આ પર્વનાં રસિકો મોટી સંખ્યામાં પ્રયાગરાજ તરફ આવી રહ્યાં છે.
ભારતવર્ષનાં સંસ્કૃતિનાં ધરોહર સનાતન ધર્મનાં સાધુ સંતો અને મહંતો સાથે વિવિધ અખાડાઓ મહા કુંભ પર્વમાં સ્નાન સાથે યજ્ઞ તથા સત્સંગ ઉપક્રમોનો સમાજને લાભ આપતાં રહ્યાં છે.
સમગ્ર વિશ્વ માટે આકર્ષણ છે તેવાં પ્રયાગરાજનાં સંગમક્ષેત્રમાં. સોમવાર પ્રારંભ અને મંગળવારે મકરસંક્રાંતિ પર્વે ભાવિકો સ્નાન લાભ માટે ઉમટી રહ્યાં છે ત્યારે મહાકુંભમેળા પર્વમાં ‘અમૃતબિંદુ યોગ’ અગાઉ ‘માવઠા સંયોગ’ થયો છે.
કુંભપર્વમાં શિયાળાની ઠંડી સાથે અંહિયા વાતાવરણ સતત બદલાતું રહ્યું છે. ધુમ્મસ, તડકો, છાંયો અને હવે વરસાદી વાતાવરણ સર્જાયું છે.