Thursday August 07, 2025

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગીતાપ્રેસ શિબિરમાં રસોઈ બાટલાં ફાટતાં લાગી આગ

સદભાગ્યે જાનહાની અટકી – મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પોગ્યાં

પ્રયાગરાજ રવિવાર તા.૧૯-૧-૨૦૨૫
(મૂકેશ પંડિત)

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગીતાપ્રેસ શિબિરમાં બપોર બાદ રસોઈ બાટલાં ફાટતાં આગ લાગી હતી. જો કે સદભાગ્યે જાનહાની અટકી હતી. આ ઘટનાથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોગ્યા હતાં.

પ્રયાગરાજ મહાકુંભમેળામાં ગંગા કિનારા ઉપરનાં સ્થાનમાં ખૂબ જ મોટા ભંડારાનું સંચાલન કરતાં સુપ્રસિદ્ધ ગીતાપ્રેસ શિબિર ગોરખપુર અંતર્ગત અખિલ ભારતીય ધર્મસંઘ શિબિરમાં બપોર બાદ રસોઈનાં બાટલા ફાટતાં આગ લાગી હતી, જેમાં અંહીના ઘણાં તંબુઓ અને સાધન સામગ્રી બળી જવા પામી છે. જો કે સદભાગ્યે જાનહાની અટકી હતી.

આગની ઘટનાથી અગ્નિ શમન ટુકડીઓ ધસી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવ દરમિયાન આ ક્ષેત્રમાં જ મુલાકાત લઈ રહેલાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અંહિયા પોગ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top