Saturday June 21, 2025

રસ્તા બાબતના મનદુઃખનો ખાર રાખીને વાનાવડના યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા હુમલો

જામ ખંભાળિયા
ભાણવડ તાલુકાના વાનાવડ ગામે રહેતા અરવિંદભાઈ ઉર્ફે અરજણભાઈ પોલાભાઈ મકવાણા નામના 34 વર્ષના માલધારી યુવાન શનિવારે તેમના મોટરસાયકલ પર બાળકોને શાળાએ મૂકી અને પરત ફરી રહ્યા હતા. ત્યારે જમીનમાં રસ્તો કાઢવા બાબતના જુના મનદુઃખનો ખાર રાખીને આ જ ગામના ભીખા નાથા મકવાણા, ભારા ભીખા, કરમણ ભીખા અને ભૂરા ભીખા મકવાણા નામના ચાર શખ્સોએ તેમને નદીના પુલ પાસે અટકાવ્યા હતા.
ગુનાહિત ઇરાદે આરોપી શખ્સોએ ફરિયાદી અરવિંદભાઈ ઉર્ફે અરજણભાઈ મકવાણાને રોકીને લાકડી તેમજ કુહાડી વડે હુમલો કર્યો હતો. આમ, આરોપીઓ દ્વારા તેમને બીભત્સ ગાળો કાઢી, બેફામ માર મારી, ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે હુમલો કરીને નાસી છૂટેલા તમામ ચાર આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ ગુજરાત પોલીસ એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. એસ.એમ. હુણ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top