Saturday June 21, 2025

તળાજા તાલુકાના દાંત્રડ ગામે પ્રજાસત્તાકદિને દાનની સરવાણી વહી

હરેશ જોષી, દાંત્રડ

દાંત્રડ ગામ ખાતે 26મી જાન્યુઆરી નિમિત્તે શાળામાં ધ્વજવંદન ઉપસરપંચ વિપુલભાઈ ગઢાદરા દ્વારા કરવામાં આવ્યું હતું. SMC અધ્યક્ષ ભીમજીભાઇ પંડ્યા, સરપંચ દિલીપભાઈ પંડ્યા સહિત ગમજનોબહાજર રહ્યા હતા . સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવેલ. તેમાં ભુતપૂર્વ આચાર્ય કનુભાઈ પી જાની ( માખણીયાવાળા) તરફથી રુપિયા10000/- નુ દાન થકી મધ્યાહન ભોજનમાં 120 સ્ટીલ ની ડીશ તેમજ દરેક બાળકને 10 રૂ.કિંમતની પેન ભેટ આપવામાં આવેલ છે. તેમજ હર્ષદભાઈ મણિશંકરભાઈ ધાંધલ્યા (શિવમ એગ્રો,દાંત્રડ)તરફથી શાળાના દરેક બાળકોને અભ્યાસ સામગ્રીની કીટ રૂપિયા 5100/- ની આપવામાં આવેલ છે.આ પ્રસંગે શાળાના બાળકોને બટુક ભોજન હિંમતભાઈ ઓધવજીભાઈ ધાંધલ્યા તરફથી આપવામાં આવેલ છે. સાંસ્કૃતિક કાર્યક્રમ માં સાઉન્ડ સિસ્ટમ મહેશભાઈ મોહનભાઈ પનોત તરફથી ફ્રી સેવા આપવામાં આવેલ છે. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કાકડિયા હેતલબેન દ્વારા કરવામાં આવેલ .કાર્યક્રમમાં માર્ગદર્શન.આચાર્ય રમેશભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top